January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ચેન્નાઈ ખાતે હાઈબ્રીડ રોકેટ લોન્‍ચ કાર્યક્રમમા ભાગ લીધો હતો. જેમાં રખોલી ઈંગ્‍લીશ મીડીયમ શાળાની ઈશા પટેલ, સીપીએસ સેલવાસ ઈંગ્‍લીશ મીડીયમ શાળાની વર્ષા યાદવ, નરોલી ઈંગ્‍લીશ મીડીયમ શાળાનો અરુણ કુમાર મંડલે ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓની પસંદગી 17 ડિસેમ્‍બરના રોજ મસાટ ખાતે આયોજીત પીઆઈસીઆ સેટેલાઈટ લોન્‍ચ પ્રદર્શન દરમ્‍યાન કરવામાં આવ્‍યું હતું. દાનહના વિદ્યાર્થીઓને નરોલી શાળાના શ્રીમતી અનીશા ખલિફા, એએઆઇએફટીમના અર્ચના સિંહ અને વ્‍યોમેશ કોન્‍ટ્રાકટર દ્વારા ચેન્નાઈ મોકલવામાં આવ્‍યા હતા.
ચેન્નાઈમાં કાર્યક્રમનું આયોજન સ્‍પેસ જોન ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારામાર્ટિન ફાઉન્‍ડેશન અને એપીજે અબ્‍દુલ કલામ ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં ભારતના અલગ અલગ રાજ્‍ય અને સંઘપ્રદેશના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સેટેલાઈટ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજી પર વ્‍યવહારિક ટ્રેનિંગ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભેગા કરવામાં આવેલ 150 પીઆઈસીઓ ઉપગ્રહોને રોકેટ સાથે અંતરિક્ષમા મોકલવામા આવ્‍યા હતા.
આ ઉપગ્રહ જ્‍યારે વાતાવરણમા હોય ત્‍યારે તે તાપમાન, પ્રેસર, હ્યુમિનિટી, ઓક્‍સિજનની ટકાવારી, કાર્બન ડાયોક્‍સાઇડ અને કાર્બન મોનોક્‍સાઈડના ટકા અને વાતાવરણમાં અન્‍ય ગેસોના સ્‍તર જેવા ડેટા મોકલાવે છે. આ સેટેલાઈટ હાઈબ્રીડ ઈંધણનો ઉપયોગ કરે છે અને લોન્‍ચ બાદ એના પાર્ટ પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ લોન્‍ચિંગ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે તામિલનાડુના રાજ્‍યપાલ અને પોંડિચરીના લેફટનન્‍ટ ગવર્નર ડો.તમિલીસાઈ સુંદરરાજન ઉપસ્‍થિત રહ્યા હતા એમની સાથે એપીજેએમજે શેખ સલીમ ડો.એપીજે કલામના પૌત્ર એપીજે અબ્‍દુલ કલામ ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના સહ-સંસ્‍થાપક, માર્ટિન ફાઉન્‍ડેશનના સંસ્‍થાપક લીમા રોજ માર્ટિન, સ્‍પેસ જોન ઈન્‍ડિયા પ્રાઈવેટ લીમીટેડના સીઈઓ અને સંસ્‍થાપક ડો.આનંદ મેગાલીગમ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પ્રકોપથી લોકો ત્રાહીમામ

vartmanpravah

દાનહ એનએસએસના વોલ્‍યુન્‍ટરો રાજપુરા પંજાબ ખાતે રાષ્‍ટ્રીય એક્‍તા શિબિરમાં ભાગ લેશે

vartmanpravah

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment