January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

બ્રોડકાસ્‍ટરોને ચેનલના ટેરીફ 30 ટકા વધારવા ટ્રાઈએ આપેલી છૂટના વિરોધમાં મલ્‍ટિ સિસ્‍ટમ ઓપરેટરોની હડતાલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લા,સંઘપ્રદેશ સહિત ગુજરાત સહિત દેશમાં ટીવી એન્‍ટરટેઈનમેન્‍ટ ચેનલો ઉપર બ્‍લેક આઉટ છવાઈ ગયો છે. અનેક મહિલાઓ, ગૃહિણીઓ અને સિનિયર સિટિઝન ઘરોમાં બેસી મનોરંજન માણતા હોય છે તેવો તમામ વર્ગ મન મારી બેસી રહેવાની સ્‍થિતિ ઉભી થઈ છે.
ટીવી પડદા ઉપર બ્‍લેક આઉટ થવાનું મુખ્‍ય કારણ એ છે કે ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (ટ્રાઈ)એ 30 ટકા જેટલો વધારો માંગ્‍યો છે અને એ માટે મલ્‍ટીપલ સિસ્‍ટમ ઓપરેટરો (એમએસઓ)ને નવા એગ્રિમેન્‍ટ બનાવવાનું કહેવાયું છે. આનો (એમએસઓ) વિરોધ કરીને હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેમનું કહેવું છે કે, ઓલરેડી ઓટીટીના કારણે દર્શક વર્ગ ઓછો થઈ ગયો છે ત્‍યારે કેબલનો ભાવ વધારો લોકો સ્‍વિકારશે નહીં. ભાવ વધારા સાથે પ્‍લસ જીએસટીનો ભાર વધી જશે તેથી મહિને 150 રૂા. વધી જાય એમ છે. લોકો આ ભાવ વધારો આપવા તૈયાર નહીં થાય તેથી અમો હડતાલ ડિક્‍લેર કરી છે. એક જ બ્રોટકાસ્‍ટરની ગૃપ પેકેજનો રેટ વધી જશે એ ભરવા લોકો તૈયાર નહીં થાય. હાલમાં વાતાઘાટો ચાલી રહી છે. લડતને લઈ બે-ચાર દિવસમાં કોઈ ઉકેલ આવી જશે તેવુ ચેનલ સંચાલકોનું માનવું છે. જો કે કલર અને કેટલીક ન્‍યૂઝ ચેનલ અને દુરદર્શન ચેનલનું પ્રસારણ ચાલુ છે તેથી જાહેર વિરોધ જોવા નથી મળી રહ્યો.

Related posts

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

Leave a Comment