June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

રેલવેનો નવિન ઓવરબ્રિજ 142 કરોડને ખર્ચે તૈયાર થનાર છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીનો હાર્ટલાઈન સમાન રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્‍વંશ કરીને નવિન બ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ધાર્યા કરતા ઝડપી રીતે ચાલી રહેલી કામગીરી થકી પુલનો પૂર્વ હિસ્‍સો એટલે કે સરકીટ હાઉસ સુધીનો હિસ્‍સો પુર્ણતઃ તોડી પડાયો છે. જોર શોરથી પુલ તોડવાની કામગીરી જોતા પુલ તેની સમય અવધી દોઢ વર્ષમાં તૈયાર થવાની વકીગણી શકાય એવુ લાગી રહ્યું છે.
વાપી પૂર્વ-પશ્ચિમ અને સેલવાસ-વાપી-દમણને જોડતો રેલવે ફલાય ઓવર બ્રિજ વાપીની હાર્ટલાઈન છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયત્‍નો થકી વાપીને નવિન રેલવે ફલાય ઓવરબ્રિજ સાંપડયો છે. તેમજ નવિન પુલ બનાવવાની કામગીરી યુધ્‍ધના દોરણે ચાલું પણ છે. નવિન પુલ બનાવતા પહેલા જુના પુલને ધ્‍વંશ કરવાની કામગીરી વાસ્‍તવિક રીતે પડકાર શમી હતી તેમ છતાં આ પડકારને ઝીલી પુલ બનાવનાર કંપનીની તાંત્રિત તાકાત થકી સફળતા મેળવી રહી છે. થોડાક જ સમયમાં પુલ ધ્‍વંશ થઈ ચૂક્‍યો હતો. નવિન પુલ પણ એટલી જ ઝડપથી બને તે માટે સરકીટ હાઉસ નજીક નવિન પિલ્લરનું કામકાજ પણ શરૂ થઈ ચૂક્‍યું છે. તેથી પુલ તેની સમય મર્યાદામાં એટલે કે દોઢ વર્ષમાં બની શકે છે. પુલ તૈયાર થઈ ગયા પછી વાપીની ટ્રાફિક સમસ્‍યામાં મોટી સફળતા મળે એમ છે કારણ કે નવિન પુલની ડિઝાઈન અનેક સુવિધા પ્રદાન કરનાર છે.

Related posts

ઘોર લાપરવાહી…. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખવાળો ગ્લુકોઝનો બોટલ ચઢાવાયો

vartmanpravah

નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે દમણ અને સેલવાસની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે લેમ્‍પ લાઈટીંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમની યોજાશે

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ પદેથી અધવચ્‍ચે બાબુભાઈ(વિકાસ) પટેલને ખસેડવા ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નવી પસંદગીમાં તો નહીં થાય ને…?

vartmanpravah

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment