Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

ઈન્‍કનો વપરાશ કરી સ્‍કેચ પેન, બોલપેન સહિતની પ્રોડક્‍ટ બનાવતી કંપની સામે જીપીસીપીએ કરેલી કાર્યવાહીથી કંપનીસંચાલકોમાં ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21 : ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા એકમોને મંજૂરી આપવામાં આવતી નથી તેમ છતાં પણ લાપરવાહી દાખવતા એકમોની પ્રોડક્‍ટમાં વપરાતું એસિડિક કે કલર યુક્‍ત મટીરીયલનો પ્રવાહી વેસ્‍ટનો યોગ્‍ય નિકાલના અભાવે પ્રદૂષણની માત્રા વધી રહી છે. ઉમરગામ જીઆઈડીસીમાં ધાતુ ઓગાડવાની અને ઈન્‍ક, સ્‍કેચ પેન, બોલપેન, પેન્‍સિલ તેમજ રબર વગેરે પ્રોડક્‍ટ બનાવવાની કંપનીઓ કાર્યરત છે. મોટાભાગની પ્રોડક્‍ટોમાં કેમિકલ તેમજ કલર ઉપરાંત અન્‍ય દેશોમાં બેન હોય એવા કેમિકલો રો-મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચા જોવા મળી છે. ઉમરગામની મોટાભાગની કંપનીઓમાં સાઈન બોર્ડ ઉપર એમની પ્રોડક્‍ટ કે રો-મટીરીયલ વિશે માહિતી લખવામાં આવતી નથી. આમ પ્રોડક્‍ટ અને રો-મટીરીયલની વિગત કંપની ઈરાદાપૂર્વક છુપાવતી હોવાનું સાબિત થાય છે. દેહરી પંચાયતની હદમાં અને નોટિફાઈડને લાગુ કેટલીક ફેક્‍ટરીઓ કાર્યરત છે. જેમાંથી બોલપેન અને ઈન્‍કનો વપરાશ કરતી એક કંપનીનું પાણી જાહેર કુદરતી વહેણમાં લાંબા સમયથી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી નોટિફાઈડના કુદરતી વહેણમાં છોડ્‍યા બાદ દેહરી પંચાયતની હદમાંથી પસાર થઈ દરિયા સુધી પહોંચે છે. નિયમિત રીતે બેરોકટોક ગેરરીતેછોડવામાં આવતું દુર્ગંધ યુક્‍ત પાણીની નોંધ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા લેવામાં આવી છે. અને આ ઘટનાની ઉચ્‍ચસ્‍તરિય કચેરીથી નોટિસ ફટકારતા કંપનીના સંચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ ઘટના માત્ર અહીંથી અટકતી નથી જો ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો કંપનીની અંદર બનાવવામાં આવેલા પાણી સંગ્રહના વિશાળ હોજનુ વાસ્‍તવિક કારણ બહાર આવી શકે. આ વિશાળ હોજમાં કલર યુક્‍ત પાણીનો સંગ્રહ તો કરવામાં આવતો નથી એ તપાસનો વિષય છે. આ ઉપરાંત પણ ઘણાં તર્કવિતર્ક બહાર આવી રહ્યા છે.
ઉમરગામ જીઆઈડીસીમાં લાપરવાહી દાખવતા ઘણા એકમો કાર્યરત છે. ઈટીપી પ્‍લાન્‍ટ માત્ર શોભાના ગાંઠીયા છે. ઓઈલયુક્‍ત કે કલર યુક્‍ત પાણી ઘણી કંપનીઓમાંથી બહાર આવતું જણાય છે જેની સામે પગલાં ભરવાની આવશ્‍યકતા જણાવી રહી છે. આ ઉપરાંત ઉમરગામ જીઆઈડીસીમાં ધ્‍વનિ પ્રદૂષણનું પ્રમાણ પણ ફેલાયેલું છે. આ તમામ ઘટનાઓને આવરી લઈ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ સમિતિ દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

vartmanpravah

Leave a Comment