October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

  1. આદિવાસી બહુમતિ ધરાવતી દમણની જિલ્લા અને ગ્રામ પંચાયતોમાં કાયમી ધોરણે અનુ.જનજાતિની બેઠક જિ.પં. સભ્‍ય અને સરપંચ માટે અનામત રાખવા પણ રજૂ થયેલો પ્રસ્‍તાવ

  2. મોટી દમણના ઝરી ખાતે રોડના વિસ્‍તૃતિકરણ દરમિયાન કાઢી નાંખવામાં આવેલ પીવાના પાણીની પાઈપલાઈન હજુ નહીં લગાડાતા મોટાભાગના લોકો પાણીવિહોણાં બની જતાં ઘણાંએ વ્‍યાજે પૈસા લઈને બોરવેલ ખોદાવવા મજબૂર બનવા પડયું હોવાની પણ દર્શાવવામાં આવેલી લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાના અધ્‍યક્ષસ્‍થાને મળેલ કારોબારીસમિતિની બેઠકમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા પ્રસ્‍તાવ પસાર કરવામાં આવ્‍યો હતો. તદ્‌ઉપરાંત દમણ જિલ્લાની જે ગ્રામ પંચાયતોમાં અનુ.જનજાતિ(આદિવાસી) સમુદાયની બહુમતિ છે તે ગ્રામ પંચાયતોના સરપંચ અને જિલ્લા પંચાયત સભ્‍યની બેઠક કાયમ માટે અનુ.જનજાતિ માટે આરક્ષિત રાખવા પણ રજૂઆત કરાઈ હતી.
દમણ નગરપાલિકામાં અનુ.જાતિની વસતી લગભગ તમામ વોર્ડોમાં હોવા છતાં એક પણ બેઠક આરક્ષિત નથી. તેથી અનુ.જાતિના પ્રતિનિધિત્‍વ માટે દમણ ન.પા.માં એક બેઠક રોટેશન પ્રમાણે અનુ.જાતિ માટે આરક્ષિત રાખવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાની દમણ બિબ્‍લોસથી સી-ફેસ સુધીના જર્જરિત બનેલા રોડ ઉપર વરસાદ પહેલાં મરામત કરવા પણ સૂચન કરાયું હતું. દમણ જિલ્લાના સોમનાથથી પાવર હાઉસ, કચીગામથી રીંગણવાડા રસ્‍તાની પણ વહેલી તકે મરામત માટે પ્રશાસન સમક્ષ રજૂઆત કરવા પણ પ્રસ્‍તાવ પસાર કરાયો હતો. દરમિયાન ઝરી ખાતે રોડના વિસ્‍તૃતિકરણ દરમિયાન કાઢી નાંખવામાં આવેલ પીવાના પાણીની પાઈપલાઈન હજુ નહીં લગાડાતા મોટાભાગના લોકો પાણીવિહોણાં બની જતાં ઘણાંએ વ્‍યાજે પૈસા લઈને બોરવેલ ખોદાવવા મજબૂર બનવા પડયું હોવાની લાગણી દર્શાવવામાં આવી હતી.

Related posts

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં પાણીની કપરી સ્‍થિતિ : લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે : નલ સે જલ યોજના ફલોપ

vartmanpravah

ઝોલાવાડી ગ્રામ પંચાયત ખાતે પ્રશાસન ગાવ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

ખેરગામ વિસ્‍તારમાં ધમધોકાર ચાલી રહેલા દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર નવસારી એલસીબીની ટીમે મારેલો છાપો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

Leave a Comment