Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

નવસારીથી નિકળતી બે લાઈન, એક નાનાપોંઢા થી પસાર થશે બીજી દમણ મગરવાડાથી પસાર થતી હોવાથી ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા નવસારી, મગરવાડા, પડઘે (મહારાષ્‍ટ્ર) હાઈટેન્‍શન ટાવર લાઈન નાંખવાના સર્વે બાદ ખેડૂતોને ભારે નુકસાન થનાર હોવાથી ઉદવાડામાં વલસાડ જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી સમયે નવી હાઈટેન્‍શન લાઈનના વિરોધમાં નવસારી-વલસાડ તથા દમણ વિસ્‍તારનાખેડૂતો એકત્રિત થયા હતા અને લડત આપવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો.
સરકાર દ્વારા આડેધડ એચ.ટી. લાઈન નાંખવાથી વલસાડ જિલ્લાના જૂજવા, રાબડા, બિનવાડા, સુખેશ, કુંભારીયા, ધુવા, ઝરોલી વિગેરે ગામોના ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થનાર છે. ચિકુ, આંબાના વૃક્ષો જે ખેડૂતોની આજીવિકા છે તેનું નિકંદન નવીન એચ.ટી. લાઈનથી થવાનું હોવાથી ઉદવાડા ખાતે જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી.
સંઘના પ્રમુખ શ્રી શશીકાન્‍તભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ વિકાસના નામે ખેડૂતોને ખેતી વિહોણા કરી રહી છે. પાવરગ્રીડ એ કોઈપણ જાહેરાત વગર નવસારીથી બે લાઈન મહારાષ્‍ટ્ર તરફ જનાર છે તેમાં એક નાનાપોંઢાથી પસાર થનાર છે. બીજી વલસાડ, દમણ, ઉમરગામ વિસ્‍તારમાંથી પસાર થનાર છે. તે સંદર્ભે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી. ખેતી સર્વે, માપણીનું કામકાજ કર્યા સિવાય પાવરગ્રીડની કામગીરી સામે જિલ્લાના ખેડૂતોએ બાંયો ચઢાવી છે.

Related posts

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્‍યપાલ-મુખ્‍યમંત્રીના આગામન પૂર્વે તંત્ર એકશનમાં: રોડ-હાઈવેની મરામત યુધ્‍ધના ધોરણે

vartmanpravah

વાપી સરવૈયા નગરના રહિશો ખુલ્લા ટ્રાન્‍સફોર્મર અને ગંદકીના સામ્રાજ્‍યમાં જીંદગી જીવવા લાચાર

vartmanpravah

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

vartmanpravah

Leave a Comment