February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

નવસારીથી નિકળતી બે લાઈન, એક નાનાપોંઢા થી પસાર થશે બીજી દમણ મગરવાડાથી પસાર થતી હોવાથી ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા નવસારી, મગરવાડા, પડઘે (મહારાષ્‍ટ્ર) હાઈટેન્‍શન ટાવર લાઈન નાંખવાના સર્વે બાદ ખેડૂતોને ભારે નુકસાન થનાર હોવાથી ઉદવાડામાં વલસાડ જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી સમયે નવી હાઈટેન્‍શન લાઈનના વિરોધમાં નવસારી-વલસાડ તથા દમણ વિસ્‍તારનાખેડૂતો એકત્રિત થયા હતા અને લડત આપવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો.
સરકાર દ્વારા આડેધડ એચ.ટી. લાઈન નાંખવાથી વલસાડ જિલ્લાના જૂજવા, રાબડા, બિનવાડા, સુખેશ, કુંભારીયા, ધુવા, ઝરોલી વિગેરે ગામોના ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થનાર છે. ચિકુ, આંબાના વૃક્ષો જે ખેડૂતોની આજીવિકા છે તેનું નિકંદન નવીન એચ.ટી. લાઈનથી થવાનું હોવાથી ઉદવાડા ખાતે જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી.
સંઘના પ્રમુખ શ્રી શશીકાન્‍તભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ વિકાસના નામે ખેડૂતોને ખેતી વિહોણા કરી રહી છે. પાવરગ્રીડ એ કોઈપણ જાહેરાત વગર નવસારીથી બે લાઈન મહારાષ્‍ટ્ર તરફ જનાર છે તેમાં એક નાનાપોંઢાથી પસાર થનાર છે. બીજી વલસાડ, દમણ, ઉમરગામ વિસ્‍તારમાંથી પસાર થનાર છે. તે સંદર્ભે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી. ખેતી સર્વે, માપણીનું કામકાજ કર્યા સિવાય પાવરગ્રીડની કામગીરી સામે જિલ્લાના ખેડૂતોએ બાંયો ચઢાવી છે.

Related posts

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

ચીખલીના મજીગામમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડોનું રોકાણ કરાવી કરોડોનો ચૂનો ચોપડનાર સમર ગ્રુપના પાંચ શખ્‍સો સામે ફરિયાદઃ 3 શખ્‍સોની ધરપકડ

vartmanpravah

‘‘ઉન્નત ભારત” અભિયાન અંતર્ગત દાનહની ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્‍ટેશન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment