Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

નવસારીથી નિકળતી બે લાઈન, એક નાનાપોંઢા થી પસાર થશે બીજી દમણ મગરવાડાથી પસાર થતી હોવાથી ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા નવસારી, મગરવાડા, પડઘે (મહારાષ્‍ટ્ર) હાઈટેન્‍શન ટાવર લાઈન નાંખવાના સર્વે બાદ ખેડૂતોને ભારે નુકસાન થનાર હોવાથી ઉદવાડામાં વલસાડ જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી સમયે નવી હાઈટેન્‍શન લાઈનના વિરોધમાં નવસારી-વલસાડ તથા દમણ વિસ્‍તારનાખેડૂતો એકત્રિત થયા હતા અને લડત આપવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો.
સરકાર દ્વારા આડેધડ એચ.ટી. લાઈન નાંખવાથી વલસાડ જિલ્લાના જૂજવા, રાબડા, બિનવાડા, સુખેશ, કુંભારીયા, ધુવા, ઝરોલી વિગેરે ગામોના ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થનાર છે. ચિકુ, આંબાના વૃક્ષો જે ખેડૂતોની આજીવિકા છે તેનું નિકંદન નવીન એચ.ટી. લાઈનથી થવાનું હોવાથી ઉદવાડા ખાતે જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી.
સંઘના પ્રમુખ શ્રી શશીકાન્‍તભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ વિકાસના નામે ખેડૂતોને ખેતી વિહોણા કરી રહી છે. પાવરગ્રીડ એ કોઈપણ જાહેરાત વગર નવસારીથી બે લાઈન મહારાષ્‍ટ્ર તરફ જનાર છે તેમાં એક નાનાપોંઢાથી પસાર થનાર છે. બીજી વલસાડ, દમણ, ઉમરગામ વિસ્‍તારમાંથી પસાર થનાર છે. તે સંદર્ભે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી. ખેતી સર્વે, માપણીનું કામકાજ કર્યા સિવાય પાવરગ્રીડની કામગીરી સામે જિલ્લાના ખેડૂતોએ બાંયો ચઢાવી છે.

Related posts

નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્‍યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્‍ડ રિપોર્ટ

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

Leave a Comment