Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થીત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણી યોજવાના સંજોગો ઉભા થવા પામ્‍યા છે.
ચીખલીને અલગ બેઠક માટે સભાસદો દ્વારા કરાયેલ લેખિત રજૂઆતની પણ ધરાર અવગણના કરાતા સભાસદોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્‍યો છે.
આગામી પાંચમી માર્ચે યોજાનારી ગણદેવી પીપલ્‍સ બેંકની ચૂંટણી માટે વર્તમાન ચેરમેન ગોપાળભાઈ ગોહિલના નેતૃત્‍વવાળી પેનલની ભાજપ દ્વારા ગતરોજ ઉમેદવારીપત્રક ખેંચવાના દિવસે વિધિવત જાહેરાત ગણદેવી સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી હતી. ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં બીલીમોરા વિભાગમાં ચીખલીના એકપણ ઉમેદવારનો સમાવેશ ન કરી પ્રતિનિધિત્‍વ ન અપાતા ચીખલીને અન્‍યાય થતા સભાસદોની લાગણીને ધ્‍યાને રાખી ચીખલીના અજયભાઈ રમણલાલ દેસાઈએ ઉમેદવારીપત્રક પરત ન ખેંચતા બીલીમોરા વિભાગ બિનહરીફ ન થતા આખરે ચૂંટણીયોજવાના દિવસો આવ્‍યા છે.
ગણદેવી પીપલ્‍સ બેંકની શાખાઓ પૈકી ચીખલીની શાખામાં મહત્તમ ડિપોઝીટ અને ધિરાણ પણ હોય ઉપરાંત ચીખલી એક મોટું વેપારી હબ હોય તથા ચીખલીના 2800 ની આસપાસ સભાસદો છે. ત્‍યારે ચીખલીને એક અલાયદી બેઠક અને પ્રતિનિધિત્‍વ મળે તેવી સભાસદોની લાગણી હોય એ સ્‍વાભાવિક છે. વધુમાં અગાઉ ચીખલીના સભાસદો દ્વારા ચીખલીને અલગ બેઠક માટે બેંકના સત્તાધીશોને લેખિત રજૂઆત પણ કરાઈ હતી. આ ઉપરાંત પ્રગ્નેશભાઈના ચેરમેનપદના સમય દરમ્‍યાન ચીખલીની અલગ બેઠક માટે ઠરાવ પણ રજૂ કરાયો હતો. પરંતુ બહુમત ડિરેક્‍ટરોએ તેનો વિરોધ કરતા આ ઠરાવ પસાર થયો ન હતો.
ઉપરાંત સ્‍થિતિમાં ભાજપ મોવડી મંડળે પણ બીલીમોરા વિભાગની ચાર બેઠકમાંથી એક પણમાં ચીખલીના ઉમેદવારને સ્‍થાન ન અપાતા સભાસદોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્‍યો છે. બીજી તરફ ચીખલીના સહકારી અગ્રણી અજયભાઈ દેસાઈ ચીખલીને અવાર નવાર અન્‍યાય સામે આ વખતે લડી લેવા મક્કમ છે. ત્‍યારે તેની સીધી અસર ભાજપ સમર્થિત પેનલ પર પડશે તેમ પણ મનાઈ રહ્યું છે.
ગણદેવી પીપલ્‍સ બેંકમાં કોળી પટેલ સભાસદોની સંખ્‍યા પણ વિશેષ છે. પરંતુ મહિલા અનામતમાં એક અને ગણદેવી વિભાગમાં એક મળી બે જેટલાનો જ સમાવેશ કરાયો છે. ચૂંટણીમાં ભાજપનો ખોબે ખોબા ભરીનેમત આપતા કોળી સમાજને પણ દેખીતી રીતે અન્‍યાય થયો હોય તેવી સર્જાવા પામી છે.
ચીખલીના અજયભાઈ દેસાઈના જણાવ્‍યાનુસાર પાંચ વર્ષ પૂર્વે ચીખલીને અલગ બેઠક માટે વચન અપાયું હતું. અને સભાસદો દ્વારા અલગ બેઠક માટે લેખિત રજૂઆત પણ કરાઈ હતી. તેમ છતાં આ વખતે ચીખલીને બીલીમોરા વિભાગની ચારમાંથી એક પણ બેઠક ન ફળવાતા સભાસદોની લાગણીને માન આપી ઉમેદવારી કરી છે.

Related posts

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

vartmanpravah

Leave a Comment