(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તાઃ16
ગુજરાત બાર કાઉન્સિલ વકીલ મંડળની સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી. જેમાં ચીખલી વકીલ મંડળના પ્રમુખનીઅધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં 2022-23ના વર્ષ માટે હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ચીખલી તાલુકા વકીલ મંડળના પ્રમુખ તરીકે ખૂંધ ગામના શ્રી સંદીપભાઈ એન.પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપ પ્રમુખ તરીકે શ્રી ફકીર મહમદ ગાડીવાલા, સેક્રેટરી તરીકે શ્રી દીપકભાઈ એમ. પાઠક, ટ્રેઝરર તરીકે શ્રીમતી કૃતિકાબેન શાહ અને લાઈબ્રેરીયન તરીકે શ્રી ગીરીશભાઈ એસ. રાઠોડની વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા હોદ્દેદારોને ચીખલી વકીલ મંડળના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.