July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

નોટીફાઈડ બોર્ડ મેમ્‍બર હેમંત પટેલએ મિટિંગ પહેલાં જ મેઈલ કરી છ જેટલા મુદ્દા રજૂ કર્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી નોટીફાઈડ બોર્ડની આજે ગુરૂવારે નોટીફાઈડ ઓફિસમાં બપોરે 3:00 કલાકે યોજાઈ હતી. નોટીફાઈડ બોર્ડ મિટિંગમાં જીઆઈડીસી અધિકારી નોટીફાઈડ બોર્ડ ચેરમેન અને મેમ્‍બર ઉપસ્‍થિત રહ્યા હતા.
નોટીફાઈડ બોર્ડ મિટિંગ પહેલાં જ બોર્ડના સભ્‍ય અને વાપી નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલએ 6 જેટલા મુદ્દા અંગે મેઈલ કર્યો હતો. આ તમામ મુદ્દા પૈકી સૌથી મહત્ત્વનો મુદ્દો એ ગાજ્‍યો હતો કે ટ્રાન્‍સપોર્ટનગર માટે ફાલવેલ જમીન હેતુફેર કરીને મીત્‍સુ કંપનીને વેચાણ કેમ થઈ ગઈ? બીજુ ખાસ કંપની ઉપરનો નોટીફાઈડ ટેક્ષ 35 કરોડનો હતો તેમાં 4.96 કરોડનું સેટલમેન્‍ટ કેવી રીતે કર્યું. આ મુદ્દાનો જવાબ આપવા માટે જીઆઈડીસીના અધિકારીઓ ગેગે ફેફે થઈ ગયેલા ઉપલી કચેરીનો નિર્ણય હોવાનું જણાવી મુદ્દાને ડાયવર્ટ કરાયો હતો. બીજા ખાસ મુદ્દામાં ચાઈનીસ ગલીના દબાણો કેમ હટાવાતા નથી તેમજ હાઈવે ઓથોરિટીએ સર્વિસ રોડ ડબલ કરવાની કામગીરી પુરી કરીદીધી છે તો જ્‍યાંથી નોટીફાઈડની હદ શરૂ થાય છે છરવાડા રોડથી ચાર રસ્‍તા સુધીનો સર્વિસ રોડ પહોળો કરવાની યોજના છે. કેમ તેવા પબ્‍લિક ઈસ્‍યુ આજે બોર્ડની મિટિંગમાં ગાજ્‍યા હતા. મિટિંગમાં ચેરમેન સતિષ પટેલ, બોર્ડ ડિરેક્‍ટર હેમંત પટેલ, ચૈતન્‍ય ભટ્ટ તથા જીઆઈડીસીના સી.ઓ. સગલ, ડી.એમ. મનીષાબેન, આર.એમ. પંકજ આચાર્ય વિગેરે અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામે ફલેગ માર્ચ કાઢવામાં આવી

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment