(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29
અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં સ્વ સોમચંદ કે. ગૂઢકા, સ્વ અમ્રતબેન સોમચંદ ગૂઢકા, સ્વ વનીતાબેન શોભાગચંદ ગૂઢકા, સ્વ હંસાબેન અમૃતલાલ શાહ તેમજ સ્વ શાંતિલાલ કે. શાહની પૂણ્યતિથી નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ વાપી, વાપી ઉદ્યોગનગર અને ગૂઢકા અને શાહ પરિવાર તેમજ સદર કોલેજની એન.એસ.એસ.ની યુનિટના સહયોગથી રક્તદાન કેમ્પનું કોલેજ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાપીની જનતા મળીને કુલ 61 યુનિટ રક્તદાન મળ્યું હતું. સ્વ શાંતિલાલ કે. શાહ એમના જીનાનકાળ દરમ્યાન વ્યક્તિ અને સમાજ વિકાસમાં તેમજ મદદ કરવા માટે હંમેશ તત્પર રહેતા હતા તેથી તેમની પૂણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ વૃક્ષારોપણ અને કોલેજની લાઈબ્રેરી માટે પુસ્તક દાનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રા.ખુશ્બુ દેસાઈ તેમજ એન.એસ.એસ. યુનિટના સ્વયમ સેવકોના સહયોગથી કરવામાં આવ્યો હતો. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે આયોજકો, વ્યવસ્થાપકો,એન.એસ.એસ. યુનિટના સ્વયમસેવકોના અને વિશેષ કરીને રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા સામાજીક કાર્યક્રમમાં સહકાર આપવા તત્પર રહેવા આહવાન આપ્યું હતું.