Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: આગામી દિવસોમાં હોળી-ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્‍યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાશે. જેમાં હજારોની સંખ્‍યામાં લોકો ઉમટતા હોવાથી લોકોને આવવા જવામાં સરળતા પડે તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા ધરમપુર એસટી ડેપોથી તા. 4 માર્ચ થી 7 માર્ચ 2023 સુધી વધારાની 14 એસટી બસો દોડાવવાનું આયોજન કરાયું છે. સુથારપાડાના આ મેળાની બસો એક્‍સપ્રેસ ભાડાથી દોડાવવામાં આવશે. દર્શનાર્થીઓના ધસારાના પ્રમાણમાં વધારાની એસટી બસોનું સંચાલન પણ કરવામાં આવશે. જેનો લાભ લેવા વલસાડ એસટી વિભાગીય નિયામકશ્રી દ્વારા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

દાનહ અને દમણ દીવ જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ કાર્યક્રમ 2.0 અંતર્ગત કરાયેલી સ્‍વચ્‍છતા

vartmanpravah

મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્‍સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકી

vartmanpravah

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment