July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: આગામી દિવસોમાં હોળી-ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્‍યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાશે. જેમાં હજારોની સંખ્‍યામાં લોકો ઉમટતા હોવાથી લોકોને આવવા જવામાં સરળતા પડે તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા ધરમપુર એસટી ડેપોથી તા. 4 માર્ચ થી 7 માર્ચ 2023 સુધી વધારાની 14 એસટી બસો દોડાવવાનું આયોજન કરાયું છે. સુથારપાડાના આ મેળાની બસો એક્‍સપ્રેસ ભાડાથી દોડાવવામાં આવશે. દર્શનાર્થીઓના ધસારાના પ્રમાણમાં વધારાની એસટી બસોનું સંચાલન પણ કરવામાં આવશે. જેનો લાભ લેવા વલસાડ એસટી વિભાગીય નિયામકશ્રી દ્વારા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

વાપીમાં નેશનલ હાઈવે પર સાનવી હ્યુન્‍ડાઈ શોરૂમનું ઉદઘાટન સમારોહ રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે યોજાયો

vartmanpravah

અરનાલામાં ચૂલો સળગાવા ગયેલ મહિલા દાઝી

vartmanpravah

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત સ્‍વયંસેવકોને દસ દિવસની આપવામાં આવી તાલીમ

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ ભામટી માહ્યાવંશી ફળિયામાં વરસાદના સમયે પાણી ભરાવાથી જાનમાલને થતા નુકસાનથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકાને માહિતગાર કર્યા

vartmanpravah

Leave a Comment