સોપાની માતા ગ્રુપ દ્વારા આયોજીત રામ નવમી મહોત્સવમાં ભાવિકભક્તજનોની લાગેલી ભીડ : મહાપ્રસાદનો પણ લીધેલો લાભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતા મંદિરના પટાંગણમાં શ્રીરામ નવમી મહોત્સવમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર0 યુગલોએ ભાગ લીધો હતો.
સવારે 9.00 વાગ્યાથી મહાપૂજાનો આરંભ થયો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથેની પૂજાના કારણે સમગ્ર વિસ્તારમાં ભાવભક્તિની સાથે હકારાત્મકતાનું વાતાવરણ દીપી ઉઠયું હતું. પૂજા બાદ રાસ-ગરબાની રમઝટ પણ ચાલી હતી.સોપાની માતા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિકભક્તજનો જોડાયા હતા.
આ પ્રસંગે દમણના આજુબાજુના અનેક શ્રદ્ધાળુઓએ પણ સોપાની માતાની મુલાકાત લઈ આર્શીવાદ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ શિષ્ત સાથે સોપાની માતા ગ્રુપ દ્વારા કરાયું હતું.