March 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

સોપાની માતા ગ્રુપ દ્વારા આયોજીત રામ નવમી મહોત્‍સવમાં ભાવિકભક્‍તજનોની લાગેલી ભીડ : મહાપ્રસાદનો પણ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતા મંદિરના પટાંગણમાં શ્રીરામ નવમી મહોત્‍સવમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ર0 યુગલોએ ભાગ લીધો હતો.
સવારે 9.00 વાગ્‍યાથી મહાપૂજાનો આરંભ થયો હતો. વૈદિક મંત્રોચ્‍ચાર સાથેની પૂજાના કારણે સમગ્ર વિસ્‍તારમાં ભાવભક્‍તિની સાથે હકારાત્‍મકતાનું વાતાવરણ દીપી ઉઠયું હતું. પૂજા બાદ રાસ-ગરબાની રમઝટ પણ ચાલી હતી.સોપાની માતા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિકભક્‍તજનો જોડાયા હતા.
આ પ્રસંગે દમણના આજુબાજુના અનેક શ્રદ્ધાળુઓએ પણ સોપાની માતાની મુલાકાત લઈ આર્શીવાદ મેળવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ શિષ્‍ત સાથે સોપાની માતા ગ્રુપ દ્વારા કરાયું હતું.

Related posts

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હસ્તે નવીનગરી પ્રા. શાળા, માલનપાડાના શિક્ષક શ્રી મહેન્દ્રસિંહ પરમારનું શ્રેષ્ઠ શિક્ષક – રાજ્ય પારિતોષિકથી સન્માન

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

vartmanpravah

લાયન્‍સ કલબ વાપી આલ્‍ફા દ્વારા મોટાપોંઢા સ્‍કૂલમાં નોટબુક વિતરણ

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ આદિમ જુથના આવાસો, સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંકના મુદ્દા ગાજ્‍યા

vartmanpravah

Leave a Comment