Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

સોપાની માતા ગ્રુપ દ્વારા આયોજીત રામ નવમી મહોત્‍સવમાં ભાવિકભક્‍તજનોની લાગેલી ભીડ : મહાપ્રસાદનો પણ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતા મંદિરના પટાંગણમાં શ્રીરામ નવમી મહોત્‍સવમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ર0 યુગલોએ ભાગ લીધો હતો.
સવારે 9.00 વાગ્‍યાથી મહાપૂજાનો આરંભ થયો હતો. વૈદિક મંત્રોચ્‍ચાર સાથેની પૂજાના કારણે સમગ્ર વિસ્‍તારમાં ભાવભક્‍તિની સાથે હકારાત્‍મકતાનું વાતાવરણ દીપી ઉઠયું હતું. પૂજા બાદ રાસ-ગરબાની રમઝટ પણ ચાલી હતી.સોપાની માતા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિકભક્‍તજનો જોડાયા હતા.
આ પ્રસંગે દમણના આજુબાજુના અનેક શ્રદ્ધાળુઓએ પણ સોપાની માતાની મુલાકાત લઈ આર્શીવાદ મેળવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ શિષ્‍ત સાથે સોપાની માતા ગ્રુપ દ્વારા કરાયું હતું.

Related posts

સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોની સમસ્‍યાના ઉકેલ માટે યોજાયેલી રાજ્‍ય કક્ષાની હેકાથોનમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા

vartmanpravah

સંવિધાનના કારણે જ માનવ અધિકારોનું ઉલ્લંઘન થતા બચ્‍યું છેઃ ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદાર

vartmanpravah

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

vartmanpravah

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment