December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

સોપાની માતા ગ્રુપ દ્વારા આયોજીત રામ નવમી મહોત્‍સવમાં ભાવિકભક્‍તજનોની લાગેલી ભીડ : મહાપ્રસાદનો પણ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતા મંદિરના પટાંગણમાં શ્રીરામ નવમી મહોત્‍સવમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ર0 યુગલોએ ભાગ લીધો હતો.
સવારે 9.00 વાગ્‍યાથી મહાપૂજાનો આરંભ થયો હતો. વૈદિક મંત્રોચ્‍ચાર સાથેની પૂજાના કારણે સમગ્ર વિસ્‍તારમાં ભાવભક્‍તિની સાથે હકારાત્‍મકતાનું વાતાવરણ દીપી ઉઠયું હતું. પૂજા બાદ રાસ-ગરબાની રમઝટ પણ ચાલી હતી.સોપાની માતા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિકભક્‍તજનો જોડાયા હતા.
આ પ્રસંગે દમણના આજુબાજુના અનેક શ્રદ્ધાળુઓએ પણ સોપાની માતાની મુલાકાત લઈ આર્શીવાદ મેળવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ શિષ્‍ત સાથે સોપાની માતા ગ્રુપ દ્વારા કરાયું હતું.

Related posts

શ્રી શ્‍યામ સેવા સમિતિના નામે પારડી તાલુકામાંથી પશુપાલક ખેડૂતોને છેતરી 8 થી 10 લાખ રૂપિયા પડાવનારો ચિટર પકડાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

Leave a Comment