દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા ટ્રેન્ડ ચાલે છે તેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં તા.07 અને તા.08 ડિસેમ્બર બે દિવસીય એન્ટરપ્રિન્યોરશિપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મેક ઈન્ટર્ન દિલ્હી અને કલકત્તા આઈ.આઈ.એમ. ઈ.સેલ દ્વારા સેમિનારમાં દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહયિક ક્ષેત્રે કેવા ટ્રેન્ડ ચાલે છે. તેનુ માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓને નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે એક્ઝપોઝર મળે, દેશ-દુનિયામાં એન્ટરપ્રિન્યોરશીપ ક્ષેત્રે કેવા કેવા ટ્રેન્ડ ચાલે છે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળે તે માટે આ વિદ્યાર્થીઓ માટે અતિ મહત્ત્વનો સેમિનાર છે. તેના નોલેજથી સ્મોલ સ્કેલ શહેરોના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે દિલ્હીની મેક ઈન્ટર્નસંસ્થા અને કલકત્તાની આઈ.આઈ.એમ. ઈ-સેલના સહયોગથી આ સેમિનારનું આયોજન કરાયું છે. સેમિનારમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.