(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નરેશભાઈ ભાસ્કરભાઈ સાવેના મોડેલ ફાર્મ ‘‘કલ્પવૃક્ષ”ની જિલ્લાના પ્રોબેશનરી આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી હતી.
ખેડૂત નરેશભાઈએ આઈએએસ તાલીમાર્થી પ્રસનજીત કૌરને જણાવ્યું કે, પેહલાથી જ તેમના પિતા ભાસ્કર સાવે પ્રાકળતિક ખેતી પધ્ધતિથી ખેતી કરતાં હતા. વર્ષોથી કોલેજના વિદ્યાર્થીઓ અને ખેડૂતો પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા માટે અહીં આવે છે. આ મોડેલ ફાર્મમાં સોપારી, કાળામરી, ચેરી, નાળયેરી, ચીકુ, કેળાં વિગેરે ફળ ઝાડો છે. ખેડૂત નરેશભાઈ દ્વારા આઈએએસ તાલીમાર્થી પ્રસનજીત કૌરને 10 એકર ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં તેમણે સૂકા નાળયેરીમાંથી કેવી રીતે તેલ કાઢી વેચવામાં આવે છે તે અંગેની પણ માહીતિ મેળવી હતી.