દાનહ અને દમણ-દીવની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને ધરોહરની આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.05 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સાથે મુલાકાત કરી દાદરા નગર હવેલી તથા દમણ અનેદીવની સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર સમાન કિલ્લા અને સેન્ટ પોલ ચર્ચાના સંરક્ષણ હેતુ મહત્ત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરી હતી.