(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: તારીખ 3જી જુલાઈને સોમવારે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાઆચાર્યા શ્રીમતી પાર્વતી પિઠાની, ઉપાચાર્યો મોસિન ખાન, શિક્ષકગણ અને બધા જ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માટે ખાસ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ શાળાના તમામ શિક્ષકોને પ્રણામ કરી આશિર્વાદ લીધા હતા. તેમજ ગુરુ માટે કવિતા ગાયન કરાયુ અને વક્તવ્ય અપાયુ અને ગુરૂ પૂજા કરાઈ હતી. શિક્ષકો દ્વારા બાળકોને ગુરૂ પૂર્ણિમા ઉજવવા પાછળના કારણો, પૂર્ણિમા તીથીએ વાતાવરણમાં થતા ફેરફાર અને પુરાણો સાથે જોડતી દંતકથા કહેવાઈ અને ગુરુનુ મહત્ત્વ સમજાવાયું હતું. આ કાર્યક્રમ રાખવા પાછળનો મૂળ હેતુ એ હતો કે બાળકો જીવનમાં ગુરૂ મહત્ત્વ અને શિસ્તતા જાણે તેમજ સમજે.