Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા તા.10/03/2023ના શુક્રવારે સવારે 09.30 થી 2.00 કલાક દરમ્‍યાન શ્રી કળષ્‍ણપ્રણામી જૂના મંદિર ટ્રસ્‍ટ, પ્રણામી મહોલ્લો, છીપવાડ, વલસાડખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આયુષમેળા અંતર્ગત મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે કાન, નાક, ગળા, પેટના રોગો, છાતીના રોગો, સાંધાના રોગો, નાના બાળકોના કળમિ રોગો તથા ડાયાબિટિશ, થાઈરોઈડ, પથરી, હરસ-મસા સંબધિત સર્વે રોગોની વિનામૂલ્‍યે તપાસ કરી મફત દવાઓનું અને રોગપ્રતિકારક ઉકાળાનુ વિતરણ કરવામાં આવશે તેમજ જરૂરી માર્ગદર્શન સ્‍થળ પર જ આપવામાં આવશે.
આ ઉપરાંત દિનચર્યા, ઋતુચર્યા, હોમીયોપેથી ચાર્ટ તથા વાનગીઓનું આહાર પ્રદર્શન, વનસ્‍પતિ પ્રદર્શન, યોગ અને પ્રાણાયામ સંબધિત માર્ગદર્શન સ્‍કૂલના બાળકો માટે આયુર્વેદ અને યોગ સંબધિત ચિત્ર સ્‍પર્ધા રાખવામાં આવી છે. જેની નોંધ લઈ કેમ્‍પના સ્‍થળે બહોળી સંખ્‍યામાં આવીને લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

vartmanpravah

દાનહ-સાયલી ગામે અજાણ્‍યો યુવાન બેહોશીની હાલતમા મળી આવ્‍યો

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

વાપીમાં ત્રણ સ્‍થળોએ નવરાત્રિ રમઝટના આયોજન : આ વર્ષની નવરાત્રિમાં ઘણા બધા નવિન આકર્ષણ જોવા મળશે

vartmanpravah

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

vartmanpravah

Leave a Comment