(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા તા.10/03/2023ના શુક્રવારે સવારે 09.30 થી 2.00 કલાક દરમ્યાન શ્રી કળષ્ણપ્રણામી જૂના મંદિર ટ્રસ્ટ, પ્રણામી મહોલ્લો, છીપવાડ, વલસાડખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આયુષમેળા અંતર્ગત મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે કાન, નાક, ગળા, પેટના રોગો, છાતીના રોગો, સાંધાના રોગો, નાના બાળકોના કળમિ રોગો તથા ડાયાબિટિશ, થાઈરોઈડ, પથરી, હરસ-મસા સંબધિત સર્વે રોગોની વિનામૂલ્યે તપાસ કરી મફત દવાઓનું અને રોગપ્રતિકારક ઉકાળાનુ વિતરણ કરવામાં આવશે તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવશે.
આ ઉપરાંત દિનચર્યા, ઋતુચર્યા, હોમીયોપેથી ચાર્ટ તથા વાનગીઓનું આહાર પ્રદર્શન, વનસ્પતિ પ્રદર્શન, યોગ અને પ્રાણાયામ સંબધિત માર્ગદર્શન સ્કૂલના બાળકો માટે આયુર્વેદ અને યોગ સંબધિત ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી છે. જેની નોંધ લઈ કેમ્પના સ્થળે બહોળી સંખ્યામાં આવીને લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.