April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીની ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.06: ચીખલી તાલુકાના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મીથલભાઈ સામે ગ્રામ પંચાયતના આઠ સભ્‍યો પૈકી સાત જેટલા સભ્‍યો દ્વારા પંચાયતની વિવિધ સમિતિઓમાં સભ્‍યોને વિશ્વાસમાં લીધા વિના નિમણૂક, વિકાસના કામો સમયસર ન થવા, પંચાયતની કામગીરી બાબતે વિશ્વાસમાં ન લેવા સહિતના મુદ્દાઓ સાથે અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરી હતી.
વોટ સભ્‍યોની અવિશ્વાસની દરખાસ્‍ત સંદર્ભે ટીડીઓ શ્રી ચેતનભાઇદેસાઈ દ્વારા હુકમ કરાતા સોમવારના રોજ વિસ્‍તરણ અધિકારી ભારતીબેનની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં સાત જેટલા મતો પડતા બે તૃતિયાંશ બહુમતી પસાર થતા સરપંચે સરપંચ પદ ગુમાવવાની નોબત આવી છે, જોકે ત્રણેક દિવસની સમય મર્યાદા બાદ તાલુકા પંચાયત દ્વારા ડેપ્‍યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોંપવાનો હુકમ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે. ત્‍યારે કોર્ટ કે અન્‍ય જગ્‍યાએથી ત્રણ દિવસમાં મનાઈ હુકમ સરપંચ ન મેળવી શકશે તો તેમણે સરપંચ પદ ગુમાવવું પડશે તે નિヘતિ જણાઈ રહ્યું છે.
છેલ્લા 15 દિવસમાં સાદકપોર અને ઢોલુમ્‍બર એમ બે ગ્રામ પંચાયતના સરપંચો સામે અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થવા પામી છે.

Related posts

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન તથા ભાજપ કિસાન મોર્ચાના પ્રદેશ પ્રમુખ હરિશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

રોગી કલ્‍યાણ સમિતિની બેઠકમાં દાનહના આગેવાન ધારાશાષાી અને યુવા નેતા સની ભીમરાએ વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મુંબઈ સુરતના નિષ્‍ણાત ડોક્‍ટરોની સેવા લેવા રજૂ કરેલો પ્રસ્‍તાવ

vartmanpravah

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

સોમવારે પ્રદેશમાં સ્‍વચ્‍છતા સંકલ્‍પ સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતો કો બદલને કા આંદલન’નો જયઘોષ કરાવશે

vartmanpravah

Leave a Comment