Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

નોકરિયાતો, વિદ્યાર્થીઓ તથા રોજ અપ ડાઉન કરનારાઓ હટવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: સૌથી વ્‍યસ્‍ત અમદાવાદ – મુંબઈ નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી બિસ્‍માર માર્ગોને લઈ અકસ્‍માતોની સંખ્‍યામાં વધારો થતા આવા ગંભીર અકસ્‍માતોમાં કેટલાય લોકોના જીવ ગયા છે, અસંખ્‍ય વાહનોના ટાયરો ફાટયા છે અને કેટલીય ટ્રકો પલટી મારતા લાખોનું નુકસાન પણ થવા પામ્‍યું છે જેને લઈ કરણી સેના દ્વારા હલ્લા બોલ કરીવિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્‍યો હતો. સાથે સાથે જાગૃત નાગરિકો દ્વારા હાઇવેના ખાડા પુરવાની પણ કામગીરી કરવામાં આવી હતી પરંતુ રોજ લાખોનો ટેક્ષ ઉઘરાવતા હાઈવે તંત્રએ હાઇવે મરામતની ચોક્કસ કામગીરી ન કરતાં પરિસ્‍થિતિ જૈસે થે રહેવા પામી છે. થોડા દિવસો અગાઉ વરસાદ બંધ થતાં તંત્ર હાઇવેના માર્ગો રીપેર કરશે એવી વાહન ચાલકોને આશા હતી પરંતુ આળસ ખંખેરીને કામ ન કરતાં હાલ ફરી વરસાદ શરૂ થતાં હાઇવેના માર્ગોની સ્‍થિતિ વધુ બગડી છે અને વાપી તરફ નોકરીએ જતાં લોકો તોબા પોકારી ઉઠ્‍યા છે. ખડકી અને ઉદવાડા બ્રિજ પર મસમોટા ખાડાને લઈ ટ્રાફિક જામ થઈ રહ્યો છે આજે એટલી હદે મુંબઈ જવાના માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો કે ઉદવાડાથી શરૂ થયેલો આ ટ્રાફિક જામ છેક પારડી ચાર રસ્‍તાના ઓવરબ્રિજ સુધી આવી પહોંચ્‍યો હતો જેને લઈ આજે વાપી જતા નોકરિયાતો, ધંધા રોજગારિઓ તથા અભ્‍યાસ માટે જતાં વિદ્યાર્થીઓ અટવાઈ પડ્‍યા હતા. અને હાઈવે ઓથોરેટી પર આક્રોશ વ્‍યક્‍ત કરી રહ્યા હતા.

Related posts

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

કુપોષણ મુક્‍ત નવસારી અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ડાભેલ ચેકપોસ્‍ટ પરથી પોલીસે રોહિત રમેશ ગુપ્તા અને શિવમ રાયસાહેબ તિવારી નામના બે ઈસમોને દારૂના જથ્‍થા સાથે ઝડપી પાડ્‍યા હતા.

vartmanpravah

ભાજપના સભ્‍ય નોંધણી અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલે 1000 કરતા વધુ સભ્‍યોની કરેલી નોંધણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment