April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

નોકરિયાતો, વિદ્યાર્થીઓ તથા રોજ અપ ડાઉન કરનારાઓ હટવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: સૌથી વ્‍યસ્‍ત અમદાવાદ – મુંબઈ નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી બિસ્‍માર માર્ગોને લઈ અકસ્‍માતોની સંખ્‍યામાં વધારો થતા આવા ગંભીર અકસ્‍માતોમાં કેટલાય લોકોના જીવ ગયા છે, અસંખ્‍ય વાહનોના ટાયરો ફાટયા છે અને કેટલીય ટ્રકો પલટી મારતા લાખોનું નુકસાન પણ થવા પામ્‍યું છે જેને લઈ કરણી સેના દ્વારા હલ્લા બોલ કરીવિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્‍યો હતો. સાથે સાથે જાગૃત નાગરિકો દ્વારા હાઇવેના ખાડા પુરવાની પણ કામગીરી કરવામાં આવી હતી પરંતુ રોજ લાખોનો ટેક્ષ ઉઘરાવતા હાઈવે તંત્રએ હાઇવે મરામતની ચોક્કસ કામગીરી ન કરતાં પરિસ્‍થિતિ જૈસે થે રહેવા પામી છે. થોડા દિવસો અગાઉ વરસાદ બંધ થતાં તંત્ર હાઇવેના માર્ગો રીપેર કરશે એવી વાહન ચાલકોને આશા હતી પરંતુ આળસ ખંખેરીને કામ ન કરતાં હાલ ફરી વરસાદ શરૂ થતાં હાઇવેના માર્ગોની સ્‍થિતિ વધુ બગડી છે અને વાપી તરફ નોકરીએ જતાં લોકો તોબા પોકારી ઉઠ્‍યા છે. ખડકી અને ઉદવાડા બ્રિજ પર મસમોટા ખાડાને લઈ ટ્રાફિક જામ થઈ રહ્યો છે આજે એટલી હદે મુંબઈ જવાના માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો કે ઉદવાડાથી શરૂ થયેલો આ ટ્રાફિક જામ છેક પારડી ચાર રસ્‍તાના ઓવરબ્રિજ સુધી આવી પહોંચ્‍યો હતો જેને લઈ આજે વાપી જતા નોકરિયાતો, ધંધા રોજગારિઓ તથા અભ્‍યાસ માટે જતાં વિદ્યાર્થીઓ અટવાઈ પડ્‍યા હતા. અને હાઈવે ઓથોરેટી પર આક્રોશ વ્‍યક્‍ત કરી રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીના સાયલી અને મસાટમાં દીપડો દેખાતા લોકોમાં ગભરાટ

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયાના તેજસ્‍વી તારલાઓએ મેળવેલી સુવર્ણ ચંદ્રક સિધ્‍ધિ

vartmanpravah

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment