January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

વાપી સી-ટાઈપ અને પારડી, ઉમરસાડી, કોટલાવ, દેસાઈવાડમાં રાત્રી સભાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વિધાનસભા ચૂંટણી પ્રચારનો દોર વેગ પકડી રહ્યો છે. પારડી વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વેગીલા ચૂંટણી પ્રચારનો આરંભ થઈ ચૂક્‍યો છે. બુધવારે કનુભાઈ દેસાઈની વાપી સહિત પારડી વિસ્‍તારના ગામોમાં રાત્રી ચૂંટણી પ્રચાર સભાઓ યોજાઈ હતી.
વાપી સી-ટાઈપ ખાતે બુધવારે રાત્રે હોમ પીચ ઉપર શ્રી કનુભાઈ દેસાઈની ભવ્‍ય રાત્રી ચૂંટણી સભા યોજાઈ હતી. સ્‍થાનિક અને વાપી શહેરના ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને સ્‍થાનિકોરાત્રી સભામાં ઉપસ્‍થિા રહ્યા હતા. વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, નોટિફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, વીઆઈએ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, સ્‍થાનિક ભાજપ અગ્રણી શ્રી સુભાષભાઈ પટેલ, મહિલા મોરચાના પદાધિકારીઓ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સભામાં શ્રી કનુભાઈ દેસાઈએ મતદારોમાં વધુમાં વધુ મતદાન કરી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. ત્‍યારબાદ શ્રી કનુભાઈ દેસાઈની પારડી વિસ્‍તારના ઉમરસાડી, કોટલાવ, દેસાઈવાડમાં રાત્રી સભાઓ યોજાઈ હતી. તાલુકા, જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ સ્‍થાનિક સરપંચો સહિત મોટી સંખ્‍યામાં લોકો રાત્રી સભામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ વિસ્‍તાર કનુભાઈ દેસાઈનો હોમ પીચ  હોવાથી લોકોમાં જબરજસ્‍ત પ્રતિસાદ અને ઉત્‍સાહ જોવા મળી રહ્યો હતો.

Related posts

દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્‍દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્‍સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણોના ભારથી દબાયેલો સંઘપ્રદેશઃ પ્રદેશની બદલાયેલી સામાજિક, આર્થિક, સાંસ્‍કૃતિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત સિકલ

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળાનું આયોજન

vartmanpravah

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

Leave a Comment