April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલી ઈન્‍ડિયન રેડક્રોસ સંચાલિત દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસ ખાતે દિવ્‍યાંગ ભાઈ-બહેનોને સાધન સામગ્રીનો લાભ સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર તરફથી એડીઆઈપી સ્‍કીમ અંતર્ગત ઉપસ્‍થિત અધિકારીઓના હસ્‍તે કુત્રિમ પગ, વ્‍હિલચેર, ટ્રાઈસિકલ, સહાયક ઉપકરણ, ક્‍લીપર, ઘોડી, શ્રવણ યંત્ર, અંધજન માટે સ્‍ટીક અને સ્‍માર્ટ કેન, માનસિક રીતે પછાત બાળકો માટે શિક્ષણ સબંધિત શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ અવસરે દિવ્‍યાંગજનોને 52 સાધન સામગ્રી આપવામાં આવી હતી અને એની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ સમારોહમાં મુખ્‍ય અતિથિ તરીકે સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, આઈઆરસીએસ-ડીડીઆરસી અને રેડક્રોસના સુપ્રિટેન્‍ડન્‍ટ ડો.જ્‍યોતિર્મય સુર સહીત કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આજના સમારોહમાં સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે અને શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલે એમના આશીર્વચનથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.
દિવ્‍યાંગભાઈ-બહેનો માટે વિવિધ પ્રકારના સહાયક યંત્ર અને ઉપકરણ રેડક્રોસ ડીસીબીલીટી રિહેબિલિટેશન સેન્‍ટરમાં બનાવવામાં આવે છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓનો ઓળખ, તપાસ, વિકલાંગતા પ્રમાણપત્ર અને ઓળખપત્ર અને સારવારની પણ સુવિધા ઉપલબ્‍ધ છે.

Related posts

નવેમ્‍બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્‍તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment