October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

વિપુલ સિંહે ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રેમ શુકલા સાથે ઉત્તર ભારતીય લોકોની સમસ્‍યાઓ વિશે વાત કરી : પ્રેમ શુક્‍લાએ નિદાનની ખાતરી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગયા શનિવારે, થાણેના યેઉર હિલ્‍સસ્‍થિત પરમ પૂજનીય સ્‍વાનંદ બાબા આશ્રમમાં હોળી મિલન સમારોહ અને મહાભંડારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ઉત્તર ભારતીય લોકોએ ભાગ લીધો હતો. સ્‍વાનંદ બાબા આશ્રમ સેવા ન્‍યાસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના મુખ્‍ય ટ્રસ્‍ટી ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રેમ શુક્‍લા છે. હોળી મિલન સમારોહ સાંજે 4 થી 11 વાગ્‍યા સુધી ચાલ્‍યો હતો.
મુંબઈ, થાણે અને નજીકના શહેરોમાં સ્‍થાયી થયેલા ઉત્તર ભારતીય લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ફૂલોના રંગોથી હોળી રમવામાં આવી હતી. જેને સૌએ માણ્‍યો હતો. આ પછી બધાએ સ્‍વાદિષ્ટ ભોજન પણ લીધું હતું.
આ કાર્યક્રમની શરૂઆત બાબા સ્‍વાનંદની પૂજાથી થઈ હતી. ત્‍યાર બાદ પરિચય અને સ્‍વાગત સમારોહ યોજાયો હતો. જેમાં આયોજકો પ્રેમ શુક્‍લ અને પ્રેમ મેઘનાનીએ પધારેલ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું. ઉપસ્‍થિત મહેમાનોએ પણ આયોજકોને પુષ્‍પોથી સન્‍માનિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સન સિકયોરિટીના માલિક અને બિહાર વેલ્‍ફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંહે ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રેમ શુક્‍લા સાથે ભારતીય લોકોની સમસ્‍યાઓ અંગે ચર્ચા કરી હતી. પ્રેમ શુક્‍લાએ તેમની વાત ધ્‍યાનથી સાંભળી અને સમસ્‍યાઓ ઉકેલવાની ખાતરી આપી. આપ્રસંગે વિપુલ સિંહ સાથે શિવકાંત ઝા પણ હાજર હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

vartmanpravah

Leave a Comment