Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: હવામાન વિભાગ દ્વારા રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં તા.17/03/2023ના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહીને ધ્‍યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કળષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુક્‍શાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્‍પાદિત પાકો, ખેતરમાં કાપણી કરી ખુલ્લામાં હોય તો તેને સલામત સ્‍થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્‍લાસ્‍ટીકના કાગળ કે તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવા. ખેતરમાં જરૂરી માપસર પિયત આપવું, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણીક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો. શાકભાજી પાકો કઠોળ અને આંબાવાડીમાં રોગ જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા જણાવેલા પગલાં લેવા માટે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ બાગાયત કચેરીના નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાંજણાવ્‍યં છે.

Related posts

વાપીના રાજુભાઈ હાલાણીની ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બર તરીકે વરણી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કર્યું

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના વિકાસ કામોની સમીક્ષા અને નિરીક્ષણ સાથે 2023ના નવા વર્ષની કરેલી ઉજવણી

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

Leave a Comment