(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તા.17/03/2023ના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કળષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુક્શાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્પાદિત પાકો, ખેતરમાં કાપણી કરી ખુલ્લામાં હોય તો તેને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટીકના કાગળ કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા. ખેતરમાં જરૂરી માપસર પિયત આપવું, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણીક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો. શાકભાજી પાકો કઠોળ અને આંબાવાડીમાં રોગ જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે કળષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા જણાવેલા પગલાં લેવા માટે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ બાગાયત કચેરીના નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાંજણાવ્યં છે.