October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમસૌંદર્ય વચ્‍ચે ધરતી પર સ્‍વર્ગ એવા માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે હોળી-ધૂળીટેની દિવસે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી છે. આ ધામમાં અલૌકિક પાઠશાળા (મંદિર)માં માઁ વિશ્વંભરીના ચૈતન્‍ય મૂર્તિ સ્‍વરૂપના દર્શન થાય છે. પાઠશાળાના ઉપરના ભાગે આવેલ હિમાલયમાં શિવ દર્શન, ગોકુલધામમાં શ્રી કૃષ્‍ણએ ઉંચકેલ ગોવર્ધન પર્વત તથા દ્વાપરયુગની જીવનશૈલી દર્શાવતી નંદબાબાની કુટીર, વૈકુંઠધામમાં ગીર ગાયોની આદર્શ ગૌશાળા, પંચવટીમાં શ્રીરામ-સીતાજી-લક્ષ્મણજીનું વનવાસ દરમ્‍યાન સંઘર્ષમય જીવનદર્શન તથા વિશાલ પરિસરમાં નારીયેળીઓ તથા કદમના વૃક્ષો વચ્‍ચે કુટીરો તેમજ બાગમાં સિંહ, ગજરાજ, જિરાફ, હરણ, વાનર સહિતનાં પ્રાણીઓ તથા મોર, પોપટ, કબૂતર, ચકલી વિગેરે પંખીઓની આબેહૂબ જીવંત પ્રતિમાઓ દરેકના દિલ મોહી લે છે. વિશાળા ઘટાદાર વૃક્ષો, નાળીયેરીઓ, વિવિધ ધામોનું સ્‍થાપત્‍ય-સૌંદર્ય, એ સૌની પુષ્‍કળ અવકાશ પૂરો પાડતી વહેંચણી, ધર્મસ્‍થાનોમાં ભાગે જ જોવા મળે એવી અણીશુધ્‍ધ સ્‍વચ્‍છતા, પાર નદીની શીતળતા લઈને વહેતો મીઠો પવન અને આ સૌની ઉપર ધામમાં પ્રવેશતાં જ પ્રત્‍યેક માનવીના હૃદયના ઊંડાણમાં થતી વિશિષ્‍ટ અનુભૂતિ- માઁ વિશ્વંભરીના આ ધામને અવિસ્‍મરણીય બનાવે છે.

Related posts

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

સંઘપ્રદેશે સીડીએસ-બિપીન રાવત, તેમના ધર્મપત્‍ની અને 11 આર્મી પર્સોનલના આકસ્‍મિકમોત બદલ પાઠવી શ્રદ્ધાંજલિ

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્‍ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા ગરબા ઉત્‍સવ તેમજ કન્‍યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

Leave a Comment