Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં સ્થિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડી.સી.આર-પુત્તુર દ્વારા ટી.એસ.પી. યોજના અંતર્ગત કાજુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિની તાલીમ યોજાઈ હતી. જેમા ૩૩ પુરૂષ અને ૧૭ બહેનો મળી કુલ ૫૦ લોકોએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. જિગ્નેશભાઈ ડોબરીયાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ખેડૂતલક્ષી કામગીરીની માહિતી પુરી પાડી હતી. ડૉ. એસ. કે. દેસાઈએ કાજુની ખેતીમાં ખેત, ખાતર અને જળ વ્યવસ્થાપનની જાણકારી આપી હતી. પ્રો. હર્ષદ પ્રજાપતિએ કાજુની જૈવિક ખેતીની માહિતી આપી હતી. ધનાલાલ જાટે કાજુના બજાર વ્યવસ્થાપનમાં એક જુથ થવા ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે તમામ લાભાર્થીઓને નોવેલ પ્રવાહી ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્‍સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે

vartmanpravah

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

vartmanpravah

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment