(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં સ્થિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડી.સી.આર-પુત્તુર દ્વારા ટી.એસ.પી. યોજના અંતર્ગત કાજુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિની તાલીમ યોજાઈ હતી. જેમા ૩૩ પુરૂષ અને ૧૭ બહેનો મળી કુલ ૫૦ લોકોએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. જિગ્નેશભાઈ ડોબરીયાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ખેડૂતલક્ષી કામગીરીની માહિતી પુરી પાડી હતી. ડૉ. એસ. કે. દેસાઈએ કાજુની ખેતીમાં ખેત, ખાતર અને જળ વ્યવસ્થાપનની જાણકારી આપી હતી. પ્રો. હર્ષદ પ્રજાપતિએ કાજુની જૈવિક ખેતીની માહિતી આપી હતી. ધનાલાલ જાટે કાજુના બજાર વ્યવસ્થાપનમાં એક જુથ થવા ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે તમામ લાભાર્થીઓને નોવેલ પ્રવાહી ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું.