Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : સંઘપ્રદેશના ડીઆઈજીપી અને ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસના ડાયરેક્‍ટર શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બરેએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ફાયર બ્રિગેડ વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલીઓનો આદેશ કર્યો છે. જેમાં દીવ ફાયર સ્‍ટેશનના ફાયર અધિકારી શ્રી કાનજીની સેલવાસ ખાતે અને સક્ષીકાન્‍ત માંગરીની સોમનાથ હેડક્‍વાર્ટરથી ખાનવેલ બદલી કરવામાં આવી છે. મોટી દમણ ફાયર સ્‍ટેશનના આસિસ્‍ટન્‍ટ ફાયર અધિકારી અને સબ અધિકારી શ્રી એસ.એલ.સોલંકીની દીવ ખાતે બદલી કરવામાં આવી છે. જ્‍યારે ભીમપોર ફાયર સ્‍ટેશનના શ્રી તુલસીદાસ માંગરીની સેલવાસ ફાયર સ્‍ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. ઉપરાંત શ્રી આર.બી.બરસાની મોટી દમણથી ભીમપોર, શ્રી સુમન ઊતોમની સોમનાથ હેડક્‍વાર્ટરથી મોટી દમણ ખાતે, શ્રી પી.બી.માહ્યાવંશીની ભીમપોરથી સેલવાસ ખાતે, શ્રી એ.એસ.ચૌહાણની ભીમપોરથી મોટી દમણ ખાતે, શ્રી એસ.એલ.પટેલની ભીમપોરથી સેલવાસ ખાતે, શ્રી એચ.કે.રાઠોડની ભીમપોરથી સેલવાસ ખાતે, શ્રી એસ.એલ.ધોડીની સોમનાથ હેડક્‍વાર્ટરથી ભીમપોર ફાયર સ્‍ટેશન ખાતે, શ્રી એસ.એન.પટેલની ખાનવેલથી સોમનાથ હેડક્‍વાર્ટર ખાતે, શ્રી પી.કે.ચૌહાણની ખાનવેલથી ભીમપોર ખાતુ, શ્રી એ.પી.પટેલની સેલવાસથી ખાનવેલ ખાતે, શ્રી આર.બી.મારગેની સેલવાસથી ખાનવેલ ખાતે અને શ્રી એસ.એસ.ગાવિતની સેલવાસથી ભીમપોર ફાયર સ્‍ટેશન ખાતે બદલી કરવામાંઆવી છે.
સંઘપ્રદેશના ફાયર બ્રિગેડ વિભાગમાં કરવામાં આવેલી અધિકારીઓની આંતરિક બદલીના કારણે ‘કહી ખુશી, કહી ગમ’ની લાગણી પ્રવર્તી રહ્યો છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ: દાનહ અને દમણ-દીવની જિલ્લા હોસ્‍પિટલ અને ઉપ જિલ્લા હોસ્‍પિટલે રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

Leave a Comment