મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના સમાપન ટાણે આજે રક્તદાન શિબિર યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21: નાની દમણના મશાલચોક ખાતે આવેલ પ્રસિદ્ધ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.14મી માર્ચથી 22મી માર્ચ સુધી આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આજે સમાપન કરવામાં આવશે.
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના આજે અંતિમ દિવસે બપોરે 12:00થી સાંજના 5:00 કલાક દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કથા શ્રવણનો સમય બપોરના 3:00થી સાંજના 6:00 કલાક દરમિયાનનો રહેશે.
ત્યારબાદ આજે રાત્રે 7:30 વાગ્યાથી ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી ભગવતી સેવા સમિતિ અને માઁ ભક્ત શ્રી ભદ્રેશભાઈ દ્વારા તમામ સનાતન ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.