October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવના સમાપન ટાણે આજે રક્‍તદાન શિબિર યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: નાની દમણના મશાલચોક ખાતે આવેલ પ્રસિદ્ધ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.14મી માર્ચથી 22મી માર્ચ સુધી આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનું આજે સમાપન કરવામાં આવશે.
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવના આજે અંતિમ દિવસે બપોરે 12:00થી સાંજના 5:00 કલાક દરમિયાન રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા શ્રવણનો સમય બપોરના 3:00થી સાંજના 6:00 કલાક દરમિયાનનો રહેશે.
ત્‍યારબાદ આજે રાત્રે 7:30 વાગ્‍યાથી ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવી ભગવતી સેવા સમિતિ અને માઁ ભક્‍ત શ્રી ભદ્રેશભાઈ દ્વારા તમામ સનાતન ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન

vartmanpravah

દમણ જિલ્લાને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા પંચાયતો સક્રિયઃ દુકાનદારોને પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની આપેલી જાણકારી

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

અતુલ ખાતે ટેમ્‍પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્‍યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્‍પાને અડફટે લીધા

vartmanpravah

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

vartmanpravah

Leave a Comment