December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુ્ઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડના મૂર્ધન્ય કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી બુધસભા, વલસાડના આશ્રયે ઉશનસના જીવન-કવન વિશે વ્યાખ્યાન, શોધપત્રો અને લેખોને પુરસ્કાર જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. કવિશ્રી ઉશનસના જીવન અને કવિતા તથા ગદ્યરચનાઓ વિશે લેખો અને શોધપત્રો મોકલવા માટે જાહેર આમંત્રણ છે. કુલ ત્રણ વિભાગમાં પહેલુ, બીજુ, ત્રીજુ એમ ત્રણ ઇનામો આપવામાં આવશે. વિભાગ ૧માં ધો. ૧૧- ૧૨ ના અને કોલેજના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ, વિભાગ ૨માં અનુસ્નાતક, એમ.ફિલ, પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ અને વિભાગ ૩માં વિદ્યાર્થીઓ સિવાયના અન્ય સાહિત્ય રસિકો પણ ભાગ લઈ શકશે. શોધપત્રો અને લેખો તા. ૩૧ જુલાઈ,૨૦૨૩ પહેલા ડો. રાધિકા ટીક્કુ, ૩૦૫, આસ્થા એપાર્ટમેન્ટ્સ, વશી ફળિયા, હાલર, વલસાડ પીન નં. ૩૯૬૦૦૧ સરનામે મોકલવા અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. ૯૯૭૯૩ ૧૨૦૨૮ અથવા ઉપરના સરનામે સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે. કવિશ્રીની જયંતિ તા.૨૮ સપ્ટેમ્બર પહેલા વિગતવાર જાહેરાત કરવામાં આવશે.

Related posts

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસેલો વરસાદ

vartmanpravah

Leave a Comment