July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુ્ઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડના મૂર્ધન્ય કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી બુધસભા, વલસાડના આશ્રયે ઉશનસના જીવન-કવન વિશે વ્યાખ્યાન, શોધપત્રો અને લેખોને પુરસ્કાર જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. કવિશ્રી ઉશનસના જીવન અને કવિતા તથા ગદ્યરચનાઓ વિશે લેખો અને શોધપત્રો મોકલવા માટે જાહેર આમંત્રણ છે. કુલ ત્રણ વિભાગમાં પહેલુ, બીજુ, ત્રીજુ એમ ત્રણ ઇનામો આપવામાં આવશે. વિભાગ ૧માં ધો. ૧૧- ૧૨ ના અને કોલેજના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ, વિભાગ ૨માં અનુસ્નાતક, એમ.ફિલ, પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ અને વિભાગ ૩માં વિદ્યાર્થીઓ સિવાયના અન્ય સાહિત્ય રસિકો પણ ભાગ લઈ શકશે. શોધપત્રો અને લેખો તા. ૩૧ જુલાઈ,૨૦૨૩ પહેલા ડો. રાધિકા ટીક્કુ, ૩૦૫, આસ્થા એપાર્ટમેન્ટ્સ, વશી ફળિયા, હાલર, વલસાડ પીન નં. ૩૯૬૦૦૧ સરનામે મોકલવા અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. ૯૯૭૯૩ ૧૨૦૨૮ અથવા ઉપરના સરનામે સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે. કવિશ્રીની જયંતિ તા.૨૮ સપ્ટેમ્બર પહેલા વિગતવાર જાહેરાત કરવામાં આવશે.

Related posts

વાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment