December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

સાયક્લોથોન સર્કિટ હાઉસથી નીકળી તીથલ બીચ, સ્વામિનારાયણ મંદિર થઈ પરત ફરશે

આ દિવસે રાત્રિના ૮-૩૦ થી ૯-૩૦ સુધી બિનજરૂરી લાઈટ બંધ રાખવામાં આવશે

સાયકલ ચલાવવું એ માત્ર પરિવહનનું સાધન નથી, તે પરિવર્તનનું સાધન છેઃ ડો. ભૈરવી જોશી

(વર્તમાન પ્રવાહ ન્યુરઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વિશ્વભરમાં વસતા લોકો પૃથ્વીનું મહત્વ સમજી શકે અને તેના રક્ષણ માટે આગળ આવે અને પર્યાવરણનું સંતુલન જળવાય રહે તે માટે વર્લ્ડ વાઈલ્ડ ફંડ ફોર નેચર (ડબલ્યુડબલ્યુએફ) દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે અર્થ અવરની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે તા. ૨૫ માર્ચે શનિવારના રોજ વલસાડમાં પણ સવારે ૬.૩૦ કલાકે પેડલ ફોર ધ પ્લેનેટના સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
ડબલ્યુ ડબલ્યુ એફ ગુજરાતના સ્ટેટ હેડ મૌતિક દવેએ જણાવ્યું કે, અર્થ અવર 2023નો ઉદ્દેશ્ય લોકોમાં પૃથ્વી પ્રત્યે સંબંધ અને માલિકીની ભાવના કેળવવાનો તેમજ શહેરોને સામૂહિક અને ટકાઉ વિકાસ તરફ વળવા પ્રોત્સાહિત કરવાનો છે. પોલ્યુશનના કારણે પર્યાવરણને નુકશાન થઈ રહ્યું હોવાથી આપણી રોજબરોજની જીવનશૈલીમાં સાઇકલિંગને અપનાવવું જરૂરી છે. જેથી તા. ૨૫ માર્ચે HSBC (હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેંકિગ કોર્પોરેશન), BYCS ઇન્ડિયા ફાઉન્ડેશન અને EPAM સાથેની ભાગીદારીમાં પ્લેનેટ માટે પેડલ (સાયકલોથોન) નું આયોજન કરવામાં આવ્યું છે. ૨૫ માર્ચે રાષ્ટ્રપતિ ભવનથી માંડીને તમામ સ્થળોએ દેશભરમાં રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ એક કલાક સુધી બિનજરૂરી વીજળી બંધ કરાશે. પર્યાવરણની જાળવણી માટે વર્ષ ૨૦૦૭માં સિડનીથી કલાઈમેટ ચેન્જ માટે અર્થ અવર (પૃથ્વી માટે એક કલાક)ની સૌથી મોટી ઝુંબેશ વૈશ્વિક સ્તરે શરૂ થઈ હતી. જે ૧૯૦ થી વધુ દેશો અને પ્રદેશોમાં વ્યકિતઓ, સમુદાયો, વ્યવસાયો અને સંસ્થાઓને પર્યાવરણીય પગલા લેવા માટે પ્રેરિત કરે છે.
વલસાડ સહિત મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ, કોચી, બેંગ્લોર, ગુવાહાટી, ભોપાલ, કોલકાતા અને ઉદયપુરમાં તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે. વલસાડમાં યોજાનારી સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લે તે માટે યુવાનો અને વૃદ્ધોને ભાગ લેવા અપીલ છે. આ સાયક્લોથોન વલસાડ હાલર ચાર રસ્તા સર્કિટ હાઉસથી શરૂ થઈ તિથલ બીચ, સ્વામિનારાયણ મંદિરથી પરત સર્કિટ હાઉસ પર પરત આવશે.
BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. ભૈરવી જોશીએ જણાવ્યું કે, આપણી પૃથ્વી ગંભીર આબોહવાનો સામનો કરી રહી છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં શહેરોની હવામાં શ્વાસ લેવુ જીવન માટે ખતરો બની ગયો છે. રોજ આપણે ઘણા બધા વાહનોના ઉત્સર્જનના સંપર્કમાં આવીએ છીએ. શહેરોની આદતો અને જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી છે. સાયકલ ચલાવવાની આદતને લોકોએ અપનાવવી જોઈએ. સાયકલ ચલાવવું એ માત્ર પરિવહનનું સાધન નથી, તે પરિવર્તનનું સાધન છે. રોજિંદા જીવનમાં સાયકલિંગનો સમાવેશ કરવાથી શારીરિક, માનસિક અને પર્યાવરણીય સ્વાસ્થ્યના પડકારોનો સંભવિત ઉકેલ લાવી શકીએ છે. જેથી આ સાયકલોથોનમાં લોકોને જોડાવા માટે તેમણે આહવાન કર્યું છે.

Related posts

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah

મતદાન જાગૃતિનો અદ્‌ભૂત નજારો: મોબાઈલના ફલેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ

vartmanpravah

એન.આર.અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment