March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

મોતને ભેટનાર ચંદુ વળવીના પરિવારજનોએ કંપની-કોન્‍ટ્રાક્‍ટર પાસે વળતરની કરેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગરહવેલીના અથાલ ગામ સ્‍થિત ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ માર્બલ કંપનીમાં શેડના ઉપર વેલ્‍ડીંગ કામ કરતી વખતે નીચે પટકાતા ગંભીર ઇજાને કારણે કામદારનું ઘટના સ્‍થળે જ મોત થવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અથાલ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ સાલાસાર માર્બલ ઇન્‍ડસ્‍ટ્રીઝ કંપનીના શેડ પર વેલ્‍ડીંગનું કામ કરી રહેલ ચંદુ ભીખુભાઈ વળવી (ઉ.વ.41) રહેવાસી અથાલ જેઓનું વેલ્‍ડીંગનું કામ કરતી વખતે સંતુલન ગુમાવતા શેડ ઉપરથી નીચે પટકાવાના કારણે ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્‍થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં નરોલી આઉટપોસ્‍ટના પી.એસ.આઈ. સુરજ રાઉત અને એમની ટીમ પહોંચી હતી અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી અને લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સિવિલ હોસ્‍ટિલમાં લઈ જવામાં આવી હતી. ચંદુના પરિવારજનો પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા. જેઓએ દાવો કર્યો કે કંપની દ્વારા કોઈપણ જાતના સેફટીના સાધનો આપ્‍યા ન હતા. જો સેફટીના સાધન હોત તો કદાચ ચંદુનો જીવ બચી શક્‍યો હોત. ચંદુના બે બાળકો છે અને પરિવારમાં કમાવવાવાળો એક જ સભ્‍ય છે જેથી કંપની અને કંપની કોન્‍ટ્રાકટર દ્વારા એમના પરિવારને વળતર આપવામાં આવે એવી માંગ કરી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરીરહી છે.

Related posts

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં ઉજવાઈ રહ્યો છે ભવ્‍યાતિભવ્‍ય ચૈત્રી નવરાત્રી પર્વ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

દાનહમાં આદિવાસી મહાપુરૂષોના ગૌરવશાળી ઇતિહાસને પુસ્‍તિકાના રૂપે સંગ્રહ કરી જન જન સુધી પહોંચાડશે ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’: અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ મહેશ કાડે

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

વાપીમાં બોર્ડર ડિસ્‍ટ્રીક્‍ટ સંકલન માટે વલસાડ-મહારાષ્‍ટ્ર-સંઘ પ્રદેશની મેગા પોલીસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah

Leave a Comment