Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

મોતને ભેટનાર ચંદુ વળવીના પરિવારજનોએ કંપની-કોન્‍ટ્રાક્‍ટર પાસે વળતરની કરેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગરહવેલીના અથાલ ગામ સ્‍થિત ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ માર્બલ કંપનીમાં શેડના ઉપર વેલ્‍ડીંગ કામ કરતી વખતે નીચે પટકાતા ગંભીર ઇજાને કારણે કામદારનું ઘટના સ્‍થળે જ મોત થવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અથાલ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ સાલાસાર માર્બલ ઇન્‍ડસ્‍ટ્રીઝ કંપનીના શેડ પર વેલ્‍ડીંગનું કામ કરી રહેલ ચંદુ ભીખુભાઈ વળવી (ઉ.વ.41) રહેવાસી અથાલ જેઓનું વેલ્‍ડીંગનું કામ કરતી વખતે સંતુલન ગુમાવતા શેડ ઉપરથી નીચે પટકાવાના કારણે ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્‍થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં નરોલી આઉટપોસ્‍ટના પી.એસ.આઈ. સુરજ રાઉત અને એમની ટીમ પહોંચી હતી અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી અને લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સિવિલ હોસ્‍ટિલમાં લઈ જવામાં આવી હતી. ચંદુના પરિવારજનો પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા. જેઓએ દાવો કર્યો કે કંપની દ્વારા કોઈપણ જાતના સેફટીના સાધનો આપ્‍યા ન હતા. જો સેફટીના સાધન હોત તો કદાચ ચંદુનો જીવ બચી શક્‍યો હોત. ચંદુના બે બાળકો છે અને પરિવારમાં કમાવવાવાળો એક જ સભ્‍ય છે જેથી કંપની અને કંપની કોન્‍ટ્રાકટર દ્વારા એમના પરિવારને વળતર આપવામાં આવે એવી માંગ કરી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરીરહી છે.

Related posts

લોકસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ: દાનહ સહિત પ્રદેશની ગરમ બનેલી રાજનીતિઃ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, 18 ને મેમો અપાયા

vartmanpravah

દાનહ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે હાથ ધરેલી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

Leave a Comment