April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

સમાજમાં દિવ્યાંગતા વિષે તથા ડાઉન સિન્ડ્રોમ વિષે જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્યુવઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડના કૈલાસ રોડ સ્થિત જયના અનુપમ એન પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર માનસિક તથા બહુવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળામાં WORLD DOWN SYNDROME DAYની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં દિવ્યાંગતા વિષે તથા ડાઉન સિન્ડ્રોમ વિષે જાગૃતતા લાવવાનો હતો. તમામ બાળકોથી માંડીને તમામે ભૂરા રંગના કપડાં પહેરી તથા “અમારી સાથે, અમારી માટે નહિ..” નો સંદેશ આપ્યો હતો. રેલીને સમાજ સુરક્ષા અધિકારી વિજેન્દ્રભાઈ ગોહિલ તથા શાળાના ટ્રસ્ટી દક્ષેશભાઈ ઓઝા, રેનાબેન શેઠ અને આચાર્ય આશાબેન સોલંકી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રેલી વલસાડના આઝાદ ચોક, ટાવર, એમ.જી. રોડ થી નાના ખત્રીવાડ થી પરત ટાવર સુધી ફરી હતી. રેલીમાં બાળકોએ, વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ રિક્ષાચાલકોને લીંબુ શરબત આપી સમાજની સેવા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રેલી દરમ્યાન બાળકો માટે પાણી, ફુગ્ગા તથા લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલીને સફળ બનાવવવા માટે અરમાબેન દેસાઈ, સોનલબેન મિસ્ત્રી અને જગદીશભાઈ આહિરે બાળકોને સાચવી સેવા આપી હતી. શાળાના આચાર્યા આશાબેન સોલંકી, વાલીઓ અને સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલી સલામ મુજબ દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિ.પં. સભ્‍યોએ જમ્‍પોર સુધી ઈ-બસમાં કરેલી મુસાફરી

vartmanpravah

Leave a Comment