September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

ડીઆઈએના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ શ્રી રમેશ કુંદનાનીના નેતૃત્‍વમાં શનિવારે સંઘપ્રદેશનાપ્રશાસકશ્રી સાથે ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓએ એક શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેનારા પ્રતિનિધિ મંડળમાં ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની સહિત ઉપ પ્રમુખ શ્રી શરદ પુરોહિત, કોષાધ્‍યક્ષ શ્રી આર.કે.શુક્‍લા, વરિષ્‍ઠ સભ્‍ય શ્રી પી.કે.સિંઘ, કારોબારી સભ્‍ય શ્રી ટીલ્લુભાઈનો સમાવેશ થાય છે. ડીઆઈએના પ્રતિનિધિ મંડળે ઉદ્યોગ હિતો અને સંઘપ્રદેશના થયેલા અભૂતપૂર્વ વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પણ પ્રગટ કર્યો હતો. આ તબક્કે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત પણ ઉપસ્‍થિત હતા તેમનું પણ ડીઆઈએ પ્રતિનિધિઓએ અભિવાદન કર્યું હતું.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા શૈક્ષણિક સત્રથી પાંચ સરકારી શાળામાં શરૂ થશે સી.બી.એસ.ઈ.નું નવમું ધોરણ

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

દાનહના સીલીમાં સ્‍થિત કેમિકલ બનાવતી એસ્‍ટ્રીક્‍સ કંપનીને જિલ્લા કલેક્‍ટરે સીલ કરી: કંપની કયા કારણોસર સીલ કરવામાં આવી તેનો ફોડ પ્રશાસન પાડતું નથી

vartmanpravah

વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્‍તકની સાથે પ્રેક્‍ટિકલ અભ્‍યાસનો પ્રયાસ કરાયો

vartmanpravah

Leave a Comment