(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27 : વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં આજે સોમવારે પ્રેસવાર્તા યોજાઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ સહિત ઉપસ્થિત આગેવાનોએ રાહુલ ગાંધીના ચુકાદાને વખોડી કાઢયો હતો. લોકશાહીનું હનન થયું છે. લાંબા ટાઈમ સુધી સંસદ ચાલુ રાખી રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ કરાયુ છે તેથી કોંગ્રેસ આગામી સમયે પ્રજા વચ્ચે જશે અને આંદોલન ચાલુ રાખશે તેવો સુર કોંગ્રેસએ વ્યક્ત કર્યો હતો.