Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે બાયપાસ રોડના પ્રવેશ દ્વાર ઉપર આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 9મી ઓગસ્‍ટના રોજ આદિવાસી દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે અનાવરણની વિધિ કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. આ કામગીરી માટે ઉમરગામ તાલુકાના આદિવાસી યુવાનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ઉમરગામ તાલુકાની આદિવાસી તમામ જાતિ આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે એક મંચ ઉપર છે. આ કાર્યક્રમમાં રાજકારણ ન પ્રવેશે એની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે અને આ રેલી ધોડીપાડા સાંસ્‍કળતિક હોલ ખાતે પહોંચી જાહેર સભામાં રૂપાંતરિત થશે એવું જાણવા મળી રહ્યું છે. ઉમરગામ તાલુકો બહુધા આદિવાસી વિસ્‍તાર ધરાવતો છે. અને આજે પણ ઉમરગામ તાલુકાના આદિવાસીઓ પોતાના હકથી વંચિત હોવાનું બહાર આવી રહ્યું છે. જ્‍યારે આ પ્રસંગે તમામ આદિવાસીઓ એક મંચ ઉપર આવી એકતાનું પ્રદર્શન કરીપોતાના હક માટે અવાજ બુલંદ કરશે એવુ આંકલન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી યુવા નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

vartmanpravah

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

વાપીમાં રાહદારીઓના મોબાઈલ ઝૂંટવતી ગેંગના ત્રણ ઝડપાયા બાદ બુધવારે વધુ એક રાહદારીનો ફોન ઝૂંટવાયો

vartmanpravah

ચીવલ મરીમાતા મંદિરે ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

નવસારી જિલ્લામાં 02 કોરોના પોઝીટવ કેસ નોંધાયાઃ 12 કોવિડ હોસ્‍પિટલમાં એક્‍ટિવ

vartmanpravah

Leave a Comment