July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે બાયપાસ રોડના પ્રવેશ દ્વાર ઉપર આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 9મી ઓગસ્‍ટના રોજ આદિવાસી દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે અનાવરણની વિધિ કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. આ કામગીરી માટે ઉમરગામ તાલુકાના આદિવાસી યુવાનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ઉમરગામ તાલુકાની આદિવાસી તમામ જાતિ આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે એક મંચ ઉપર છે. આ કાર્યક્રમમાં રાજકારણ ન પ્રવેશે એની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે અને આ રેલી ધોડીપાડા સાંસ્‍કળતિક હોલ ખાતે પહોંચી જાહેર સભામાં રૂપાંતરિત થશે એવું જાણવા મળી રહ્યું છે. ઉમરગામ તાલુકો બહુધા આદિવાસી વિસ્‍તાર ધરાવતો છે. અને આજે પણ ઉમરગામ તાલુકાના આદિવાસીઓ પોતાના હકથી વંચિત હોવાનું બહાર આવી રહ્યું છે. જ્‍યારે આ પ્રસંગે તમામ આદિવાસીઓ એક મંચ ઉપર આવી એકતાનું પ્રદર્શન કરીપોતાના હક માટે અવાજ બુલંદ કરશે એવુ આંકલન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી યુવા નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યા છે.

Related posts

દમણમાં 69મા વન્‍યજીવ સપ્તાહની ઉત્‍સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્‍પોર બીચની સ્‍વચ્‍છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન

vartmanpravah

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

Leave a Comment