Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે બાયપાસ રોડના પ્રવેશ દ્વાર ઉપર આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 9મી ઓગસ્‍ટના રોજ આદિવાસી દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે અનાવરણની વિધિ કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. આ કામગીરી માટે ઉમરગામ તાલુકાના આદિવાસી યુવાનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ઉમરગામ તાલુકાની આદિવાસી તમામ જાતિ આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે એક મંચ ઉપર છે. આ કાર્યક્રમમાં રાજકારણ ન પ્રવેશે એની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે અને આ રેલી ધોડીપાડા સાંસ્‍કળતિક હોલ ખાતે પહોંચી જાહેર સભામાં રૂપાંતરિત થશે એવું જાણવા મળી રહ્યું છે. ઉમરગામ તાલુકો બહુધા આદિવાસી વિસ્‍તાર ધરાવતો છે. અને આજે પણ ઉમરગામ તાલુકાના આદિવાસીઓ પોતાના હકથી વંચિત હોવાનું બહાર આવી રહ્યું છે. જ્‍યારે આ પ્રસંગે તમામ આદિવાસીઓ એક મંચ ઉપર આવી એકતાનું પ્રદર્શન કરીપોતાના હક માટે અવાજ બુલંદ કરશે એવુ આંકલન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી યુવા નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યા છે.

Related posts

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

દાનહ એક્‍સાઈઝ વિભાગે લુહારીથી 174 બોક્ષ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment