January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિપુલસિંહનું શાલ ઓઢાડી કરાયેલું સન્માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ગુરુવારે હનુમાન જયંતિના શુભ અવસરે બિહાર વેલ્‍ફેર એસોસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે તેમના સાથીદારો સાથે ઉમરગામ દેહરી સ્‍થિત શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર ખાતે હાજરીનો અહેસાસ કરાવ્‍યો હતો. આ પ્રસંગે વિપુલસિંહે હનુમાનજીને પ્રાર્થના કરી સૌના કલ્‍યાણ માટે પ્રાર્થના કરી હતી.
હનુમાન જયંતિના આ શુભ અવસર પર આયોજકો અને ઉપસ્‍થિત તમામ ભક્‍તોનો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. મંદિરનો રંગ ચળકતો હતો, સવારથી જ લોકો મંદિરે આવી રહ્યા હતા.
આ પ્રસંગે માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિપુલસિંહના સામાજિક અને ધાર્મિક યોગદાનને ધ્‍યાને લઈ શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે બિહાર વેલ્‍ફેર એસોસિએશનના અધ્‍યક્ષ ડૉ.કે.પી. સિંહા, ડેપ્‍યુટી ચીફ એન.કે. સિંઘ, ખજાનચી અભય સિંહ, સેક્રેટરી શિવકાંત ઝા અનેમાનવ કલ્‍યાણ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ એન.કે. સિંઘે ભક્‍તોને મહાપ્રસાદ આપ્‍યો, જેને મેળવીને તમામ ભક્‍તો સંતુષ્ટ દેખાયા.

Related posts

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment