March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિપુલસિંહનું શાલ ઓઢાડી કરાયેલું સન્માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ગુરુવારે હનુમાન જયંતિના શુભ અવસરે બિહાર વેલ્‍ફેર એસોસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે તેમના સાથીદારો સાથે ઉમરગામ દેહરી સ્‍થિત શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર ખાતે હાજરીનો અહેસાસ કરાવ્‍યો હતો. આ પ્રસંગે વિપુલસિંહે હનુમાનજીને પ્રાર્થના કરી સૌના કલ્‍યાણ માટે પ્રાર્થના કરી હતી.
હનુમાન જયંતિના આ શુભ અવસર પર આયોજકો અને ઉપસ્‍થિત તમામ ભક્‍તોનો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. મંદિરનો રંગ ચળકતો હતો, સવારથી જ લોકો મંદિરે આવી રહ્યા હતા.
આ પ્રસંગે માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિપુલસિંહના સામાજિક અને ધાર્મિક યોગદાનને ધ્‍યાને લઈ શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે બિહાર વેલ્‍ફેર એસોસિએશનના અધ્‍યક્ષ ડૉ.કે.પી. સિંહા, ડેપ્‍યુટી ચીફ એન.કે. સિંઘ, ખજાનચી અભય સિંહ, સેક્રેટરી શિવકાંત ઝા અનેમાનવ કલ્‍યાણ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ એન.કે. સિંઘે ભક્‍તોને મહાપ્રસાદ આપ્‍યો, જેને મેળવીને તમામ ભક્‍તો સંતુષ્ટ દેખાયા.

Related posts

વલસાડ કોલેજમાં મહિલા પ્રાધ્‍યાપકની શારીરિક છેડતી કરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડા મુદ્દે યુથ કોંગ્રેસે કરેલા ચક્કાજામ મામલે સાત સામે ફરિયાદ નોંધાઈ

vartmanpravah

જો પંચાયતો જ દમણ-દીવને વિધાનસભા સહિતના ઠરાવો કરતી રહેશે તો એમ.પી.સાહેબ સંસદમાં તમારૂં શું કામ..?

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment