February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિપુલસિંહનું શાલ ઓઢાડી કરાયેલું સન્માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ગુરુવારે હનુમાન જયંતિના શુભ અવસરે બિહાર વેલ્‍ફેર એસોસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે તેમના સાથીદારો સાથે ઉમરગામ દેહરી સ્‍થિત શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર ખાતે હાજરીનો અહેસાસ કરાવ્‍યો હતો. આ પ્રસંગે વિપુલસિંહે હનુમાનજીને પ્રાર્થના કરી સૌના કલ્‍યાણ માટે પ્રાર્થના કરી હતી.
હનુમાન જયંતિના આ શુભ અવસર પર આયોજકો અને ઉપસ્‍થિત તમામ ભક્‍તોનો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. મંદિરનો રંગ ચળકતો હતો, સવારથી જ લોકો મંદિરે આવી રહ્યા હતા.
આ પ્રસંગે માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિપુલસિંહના સામાજિક અને ધાર્મિક યોગદાનને ધ્‍યાને લઈ શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે બિહાર વેલ્‍ફેર એસોસિએશનના અધ્‍યક્ષ ડૉ.કે.પી. સિંહા, ડેપ્‍યુટી ચીફ એન.કે. સિંઘ, ખજાનચી અભય સિંહ, સેક્રેટરી શિવકાંત ઝા અનેમાનવ કલ્‍યાણ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ એન.કે. સિંઘે ભક્‍તોને મહાપ્રસાદ આપ્‍યો, જેને મેળવીને તમામ ભક્‍તો સંતુષ્ટ દેખાયા.

Related posts

વાપી, અતુલ, વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત સૂર્ય દેવતાને અર્ક ચઢાવી કરેલી છઠ્ઠ પૂજાની ઉજવણી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા તાલુકાની કુલ-69 જેટલી ગ્રામપંચાયતો થશે

vartmanpravah

Leave a Comment