(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સેલવાસનાબાવીસા ફળિયા ખાતે આવેલ ભૈરવ ભગવાન બરમદેવ મંદિરના 17મા પાટોત્સવનું આયોજન 04એપ્રિલને મંગળવારના રોજ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં સવારે 11:00વાગ્યે પૂજા બાદ સાંજે 5:00વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે 9:00વાગ્યે ભવ્ય ભજન-કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયોજક ધોડિયા સમાજ યુવા મંડળ દ્વારા ભાવિકભક્તોને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.