April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.31: દાદરા નગર હવેલીના મસાટ ગામે અજાણ્‍યા વ્‍યક્‍તિઓએ એક સોના-ચાંદીની દુકાનનું તાળુ તોડી અંદાજીત 70 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત વિગત અનુસાર મસાટ ગામે આવેલ કૃષ્‍ણ હાઇટ્‍સની સામે બેલસામાં ખિમજ માતા જ્‍વેલર્સમાં મોડી રાત્રે અજાણ્‍યા ચોરોએ ગેસ કટરથી શટરનું તાળુ તોડી જ્‍વેલર્સની દુકાનમાં ઘુસી અંદાજીત 70 હજારના સોના-ચાંદીના દાગીનાઓ ચોરી રહ્યા હતા તે સમયે પીસીઆર વાનની સાયરનનો અવાજ સાંભળી ગેસ કટર અને અન્‍ય સામાન ત્‍યાં જ છોડી ફરાર થઈ ગયા હોવાી ઘટના સામે બની છે. સવારે જ્‍યારે દુકાનના માલિક વિક્રમસિંહ દુકાને પહોંચ્‍યા તે સમયે જોયું કે એમની જ્‍વેલર્સની દુકાનના શટરનું તાળુ તુટેલું હતું અને દુકાનની અંદર જઈ જોતા દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાઓ ચોરાઈ ગયા હોવાનું જોવા મળ્‍યું હતું. આ ઘટના અંગે મસાટ આઉટ પોસ્‍ટમાં જાણ કરતા એ.એસ.આઈ. આર.ડી.રોહિત અને એમની ટીમ ડોગ સ્‍ક્‍વોડ સાથે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ મસાટ પોલીસ કરી રહી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ધરમપુરમાં વર્ષો પહેલા હોળી વખતે રમાતી લુપ્ત થઈ ગયેલી પારંપરિક રમત આટયા પાટયા(હીર પાટા) આ વર્ષે હોળીનાં તહેવારમાં ફરી એક વાર રમાઈ

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયો

vartmanpravah

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

vartmanpravah

Leave a Comment