Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

ગાંધીનગરમાં મળેલ ઉચ્‍ચ સ્‍તરીય બેઠકમાં લેવાયેલ નિર્ણય :
જીએસડીએમએ ના સહયોગથી નૂતન ભવન બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાનું ડિઝાસ્‍ટર પ્રિવેંશન એન્‍ડ મેનેજમેન્‍ટ સેન્‍ટર (ડીપીએમસી), જે આખા જિલ્લાનું, વાપી ખાતે નોટીફાઈડ એરિયામાં બનાવવા માટે, માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના આહવાન પર, જેનું કાર્ય વર્ષો પહેલા થયું ન હોતું એવું ડીપીએમસી વાપી નોટીફાઈડ એરિયામાં જીએસડીએમએના સહયોગથી બનાવવામાં આવશે. જેનું આજે માનનીય કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના ગાંધીનગર સચિવાલય ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ડીપીએમસી ભવનનું પ્રેઝન્‍ટેશન, ઈકયુપમેન્‍ટ, અને તેને આગળ કેવી રીતે ચલાવવું તે વિષે પ્રેઝન્‍ટેશન બતાવવામાં આવ્‍યું અને ડીપીએમસી બનાવવાનું આયોજન જેમ બને તેમ ઝડપી રીતે કાર્યરત કરવા વલસાડ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વિસ્‍તાર ગુંદલાવ, પારડી, ઉમરગામ, સરીગામ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન અને અતુલ લિ. રેમન્‍ડ, જેવી મોટી કંપનીઓને સાથે રાખી આ ભવનના નિર્માણનું આયોજન કરવામાં આવશે, અને એ માટે આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને મિટીંગમાં વીઆઈએનાપ્રમુખ શ્રી સતિષ પટેલ, નોટીફાઈડ એરિયા ઓથોરિટી, વાપીના ચેરમેન શ્રી હેમંત પટેલ, જીએસડીએમએના સીઈઓ શ્રી મનીષ ભારદ્વાજ, જીઆઈડીસીના વીસી એન્‍ડ એમડી શ્રી રાહુલ ગુપ્તા, નોટીફાઈડ એરિયા, વાપીના ચીફ ઓફિસર શ્રી ડી.બી.સાગર, જીએસડીએમએ ગુજરાતના એસીઈઓ શ્રી એ.જે.અસારી અને જીએસડીએમએ વાપીના સેકટર મેનેજર શ્રી પ્રશાંત મકવાણા ઉપસ્‍થિત રહ્યા હતા અને આગળ તૈયારીના ભાગરૂપે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

Related posts

વાપી ચણોદ ખાતે આવેલી અથર્વ પબ્‍લિક સ્‍કૂલનો એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

vartmanpravah

Leave a Comment