Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોટાપોંઢા કેનાલમાં સતત બીજી કરૂણાંતિકા સર્જાઈ: ન્‍હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે ડૂબી ગયા

સરફરાજ અને અલ્‍તાફની અડધો કલાક પછી લાશ મળી : સહાબુદ્દિન બચી ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: છેલ્લા ત્રણ દિવસથી મોટાપોંઢા પાસે વહેતી દમણગંગા યોજનાની મોટી કેનાલ ગોઝારી બની ચૂકી છે. બે દિવસ પહેલાં પતિ-પત્‍નીનું બાઈક પાણીમાં ખાબકી જતા પતિનું મોત નિપજ્‍યું હતું. ત્‍યાં મંગળવારે સાંજના કેનાલમાં દોરડુ બાંધી ન્‍હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી દોરડુ તૂટી જતા બે મિત્રો તણાઈ ડૂબી જતા મોત નિપજ્‍યું હતું. જ્‍યારે એકને સ્‍થાનિકોએ બચાવી લીધો હતો.
પ્રાપ્તવિગતો મુજબ મોટાપોંઢામાંથી પસાર થતી કેનાલ છેલ્લા કેટલાક દિવસોથી ભોગ લઈ રહી છે. મંગળવારે સાંજના મોટાપોંઢામાં વેલકમ ધાબા પાસે પંચરની દુકાન ચલાવતાં સરફરાજ ઉ.વ.28 તથા કાકડકોપરમાં પેટ્રોલ પમ્‍પ પાસે પંચરની દુકાન ચલાવતો 27 વર્ષિય અલ્‍તાફ અને કરવડમાં પંચરની દુકાન ચલાવતો સહાબુદ્દિન મળી ત્રણેય મિત્રો મંગળવારે સાંજના મોટાપોંઢામાં વહેતી દમણગંગા કેનાલમાં ન્‍હાવા માટે ગયા હતા. પાણીમાં તણાઈ ના જવાય તે માટે દોરડુ પણ બાંધ્‍યું હતું પરંતુ બચવા માટે બાંધેલુ દોરડું નહેરમાં પાણીનો પ્રવાહ વધતાં તૂટી ગયું જેથી પકડીને નહાઈ રહેલા સરફરાજ અને અલ્‍તાફ તણાઈ ગયા હતા. જ્‍યારે સ્‍થાનિક ઉપેન્‍દ્રભાઈએ સહાનુબુદ્ધિનને બચાવી સારવાર માટે ખસેડતા તે બચી ગયો હતો. ત્રણેય મિત્રો નાહીને રમઝાનનો ઉપવાસ રોઝા પુરા કરવાના હતા ત્‍યાં બેને મોત ભરખી ગયું.

Related posts

સંઘપ્રદેશને કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરવા ઉચ્‍ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતો પણ મિશન મોડમાંસંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાં ધાત્રી માતાઓને કરેલું પૌષ્‍ટિક લાડુનું વિતરણ

vartmanpravah

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

Leave a Comment