April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

કાર નં.જીજે 15 સીજી 6710માં ચાલક ભુંજાઈ ગયો હતો : પોલીસ કાર માલિકની તપાસે શરૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ હાઈવે સોનવાડા કબીરપથ મંદિર પાસે મુંબઈ તરફ જઈ રહેલા સર્વિસ રોડ ઉપર આજે બુધવારે સવારે અચાનક એક અલ્‍ટીગા કારમાંભિષણ આગ લાગી હતી. આગમાં કાર ચાલક અંદર જ ભૂંજાઈ ગયો હતો. આગના બનાવ બાદ દોડધામ મચી ગઈ હતી.
વલસાડ હાઈવે ડુંગરી સોનવાડા કબીરપથ મંદિર પાસે આજે સવારે મુંબઈ તરફ જઈ રહેલ સર્વિસ રોડ ઉપરથી અલ્‍ટીગા કાર નં.જીજે 15 સીજી 6710 ચાલુ હાલત કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેમાં બનાવની ભયાનકતા એ હતી કે કાર ચાલક જ આગમાં ભુંજાઈ ગયો હતો. રાહદારીઓએ પોલીસ અને ફાયરને ફોન કરતા વલસાડ પાલિકા ફાયરે કલાકની જહેમત બાદ આગને બુઝાવી હતી. પોલીસે મૃતક અને કાર માલિક અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

વાપીને ગુજરાતની માડેલ પાલિકા બનાવવા માટે પ્રાદેશિક કમિશ્‍નરએ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

Leave a Comment