Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ : માતાજીના દિવ્‍ય રથ આગમનની ચર્ચા

અમદાવાદમાં આકાર લઈ રહેલ માઁ ઉમિયાનું વિશ્વમાં સૌથી ઊંચું મંદિર આકાર લઈ રહ્યું છે તેની ચર્ચા આદાન-પ્રદાન કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન દ્વારા વિશ્વનું સૌથી ઊંચું જગત જનની માઁ ઉમિયાનું મંદિર આકાર લઈ રહ્યું છે તે ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં માતાજીનો દિવ્‍યરથ પરિભ્રમણ કરી રહ્યો છે જે અત્‍યારે સુરત શહેરમાં છે. આગામી દિવસોમાં માતાજીનો રથ વલસાડ-વાપીમાં પધરામણી થનાર છે. તેથી વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ હતી.
વાપી એફ.સી.જી. કંપનીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપી ઉમિયા મહિલા મંડળ અને વાપી ઉમિયા પરિવારના અગ્રણીઓએ ભાગ લીધો હતો. 1000 કરોડનો આ સામાજીક પ્રોજેક્‍ટ છે તે અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના પ્રતિનિધિઓએ વિસ્‍તૃત ચર્ચા દ્વારા માહિતી પ્રદાન કરી હતી. આગામી સમયે માઁ ઉમિયાનો દિવ્‍ય રથ વલસાડ, વાપીમાં આગમન થનાર છે તેની પૂર્વ તૈયારીઓની ચર્ચા-વિચારણા કરી હતી. વાપીમાં બે થી ત્રણ દિવસ માતાજીનો રથ શહેરમાં પરિભ્રમણ કરનાર હોવાથી પૂર્વ આયોજનની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ઓપન ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન 2024-‘25ના વર્ષમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગની મહિલાઓને 2000 ગીર ગાયોનો લાભ આપશે

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ-દમણ ખાતેની ઐતિહાસિક જનસભા-રેલીનો રાજકીય ફાયદો શાસક ભાજપ ઉઠાવી શકશે?

vartmanpravah

Leave a Comment