(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.07: સેલવાસ ખાતે ગુડ ફ્રાયડેના દિને ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રોસ લઈ શોભાયાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્યામાં દેવ પુત્ર ઈસુના ભક્તો જોડાયા હતા.
ઈસાઈ ધર્મ ગ્રંથ પ્રમાણે જે દિવસે ઈસુ મસિહાએ પ્રાણ ત્યાગ્યા હતા, એ દિવસ ફ્રાયડે હતો. તેની યાદમા ગુડ ફ્રાયડે મનાવાય છે પણ એમના મોતના ત્રીજા દિવસે દેવ પુત્ર ઈસુ ફરીથી જીવિત થયા હતા એ દિવસે રવિવાર હતો. આ દિવસને ખ્રિસ્તી સમાજ ઈસ્ટર સન્ડે કહે છે આ શોભાયાત્રા સેલવાસના પ્રાચીન રોમન કેથલિક ચર્ચથી નીકળી સેલવાસના અનેક સ્થળો પર ફરી પરત ચર્ચ પહોંચી હતી જ્યાં ઉપસ્થિત લોકોએ સમૂહ પ્રાર્થના કરી હતી.