April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે નવગ્રહ તથા શનિદેવ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા અને મહા પ્રસાદનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ઝાપા બહાર વિજયપથ રોડ સ્‍થિત શનિદેવના મંદિરને રોડ વાઈડિંગને લીધે જુના મંદિરની પાછળ શનિદેવના નવા મંદિરનુ નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેમા શનિદેવની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી નવા મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી હતી. તારીખ 6 એપ્રિલ તથા ચૈત્રી પૂનમના દિવસે શનિદેવ અને નવગ્રહ દેવનીવિધિવત પૂજા અર્ચના કરી અને શનિદેવ મહારાજ મૂર્તિની નવા મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી હતી. સાંજે સાત કલાકે મહા આરતી તથા ભજન-કીર્તન અને ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તારીખ સાત ના રોજ જાહેર જનતા માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ભક્‍તોએ લાભ લીધો હતો, અને શનિદેવના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

Related posts

વેસ્‍ટર્ન રેલ્‍વે જી.એમ.એ. વાપીમાં કાર્યરત ડી.એફ. સી.આઈ.એલ. પ્રોજેક્‍ટ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ પોલીસનું વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ લંડનમાં નામ દાખલ થયું: સમગ્ર પોલીસ બેડા અને પ્રશાસનમાં આનંદની લાગણી

vartmanpravah

આજે વાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્‍મ દિવસની ઉજવણી : રક્‍તદાન કેમ્‍પ-ફ્રૂટ વિતરણ કરાશે

vartmanpravah

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment