October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે નવગ્રહ તથા શનિદેવ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા અને મહા પ્રસાદનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ઝાપા બહાર વિજયપથ રોડ સ્‍થિત શનિદેવના મંદિરને રોડ વાઈડિંગને લીધે જુના મંદિરની પાછળ શનિદેવના નવા મંદિરનુ નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેમા શનિદેવની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી નવા મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી હતી. તારીખ 6 એપ્રિલ તથા ચૈત્રી પૂનમના દિવસે શનિદેવ અને નવગ્રહ દેવનીવિધિવત પૂજા અર્ચના કરી અને શનિદેવ મહારાજ મૂર્તિની નવા મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી હતી. સાંજે સાત કલાકે મહા આરતી તથા ભજન-કીર્તન અને ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તારીખ સાત ના રોજ જાહેર જનતા માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ભક્‍તોએ લાભ લીધો હતો, અને શનિદેવના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

Related posts

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

vartmanpravah

ગણદેવી – વાંસદા સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા 1542 હોડિંગ અને પેઈન્‍ટીગ દૂર કરાયા

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

Leave a Comment