June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિની પ્રશંસનીય કામગીરી

ઉમરગામ ટાઉનમાં આદિવાસીની ગેસ એજન્‍સી પર લાંબા સમયથી યેનકેન પ્રકારે કબજો જમાવી મૂળ માલિકને ધંધાકીય પ્રવૃત્તિથી દુર રાખી અન્‍યાય કરનારની સાન ઠેકાણે લાવવા મેદાને પડેલી ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિને મળેલી સફળતાથી આદિવાસીઓમાં જોવા મળી રહેલી આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઉમરગામ, તા.12: ઉમરગામ ટાઉનમાં રહેતા રાહુલભાઈ મનોજભાઈ રાઠોડ લાંબા સમયથી અન્‍યાયનો સામનો કરી રહ્યો હતો. એમના પિતાને ગેસ એજન્‍સીનું પ્રાપ્ત થયેલું લાયસન્‍સ ઉપર અન્‍ય ઈસમે કબજો જમાવી ધંધાની પ્રવૃત્તિથી દૂર રાખવામાં આવી રહ્યો હતો. આ લાયસન્‍સ પિતાના નામથી એમની માતાના નામ ઉપર અને ત્‍યારબાદ રાહુલ મનોજભાઈ રાઠોડને લાયસન્‍સનો માલિકી હક પ્રાપ્ત થયો હતો. પરંતુ ગેસ વિતરણની તમામ પ્રવૃત્તિથી અલગ રાખી ઉમરગામ ટાઉનમાં રહેતા એક ઇસમ ધાક ધમકી અને યેનકેન પ્રકારે ધંધાકીય પ્રવૃત્તિ કરી રહ્યો હતો. જે ઘટનાની જાણ ઉમરગામતાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી મનીષભાઈ હળપતિ અને એમની ટીમને થતા એમણે ન્‍યાયિક રીતે લડત ચલાવી હતી. જે ઘટનાની ફરિયાદ સંબધિત વિભાગ અને પોલીસ તંત્રને કરવામાં આવી હતી.
આ ફરિયાદ બાદ લાંબા સમયથી એજન્‍સીની ધંધાકીય પ્રવૃત્તિ ઉપર કબજો જમાવનારની સાન ઠેકાણે આવી જતા એજન્‍સી અને ગોડાઉન તેમજ સમગ્ર વહીવટ એમના મૂળ માલિક રાહુલભાઈ મનોજભાઈ રાઠોડને સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ લાંબા સમયથી અન્‍યાયનો સામનો કરી રહેલા એક આદિવાસી પરિવારને ન્‍યાય અપાવવામાં ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખશ્રી મનીષભાઈ હળપતિ અને એમની ટીમને સફળતા મળતા આદિવાસી ઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

Related posts

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસે વાપીમાં પત્રકાર પરિષદ યોજી કોવિડ અને પ્રદૂષણ મુદ્દે કરેલી ચર્ચા

vartmanpravah

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

vartmanpravah

સ્‍વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્‍યતિથિ નિમિત્તે સેલવાસમાં યોજાયો રક્‍તદાન કેમ્‍પ

vartmanpravah

Leave a Comment