March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાથી યુવાન ગુમ થયો હોવા અંગે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે રહેતા યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુભોદત અરક્ષિત શાહુ (ઉ.વ.30) રહેવાસી વિનોદભાઈની ચાલ, વાઘધરા, દાદરા મુળ રહેવાસી બન્‍ટલ, જિ.અંજુલ, ઓરિસ્‍સા જે ગત 24 માર્ચના રોજ પોતાના રૂમ પરથી કોઈને કંઈપણ જાણ કર્યા વિના ચાલી ગયેલ જે અંગે એના પિતા અરક્ષિત શ્રીનિવાસ શાહુએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એમનો પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
ગુમ થનાર યુવાન રંગે ઘઉંવર્ણ, મોંઢુ લંબગોળ, વાળ કાળા અને ટૂંકા તેમજ ઊંચાઈ પાંચ ફૂટ છ ઈંચ જેટલી છે. શરીરે કાળા કલરનો શર્ટ અને જીન્‍સ પેન્‍ટ પહેરેલ છે. યુવાન હિન્‍દી અને અંગ્રેજી ભાષા બોલે છે.
આ યુવાન અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશન નં. 0260 2642033 અથવા તો પોલીસ કંટ્રોલ રૂમ નં.0260 2642130, 2645666 તથા દાદરા આઉટ પોસ્‍ટ 9904094980 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

દમણગંગા નદીનો કિનારો અત્‍યંત પ્રદૂષિત : ગણેશ મહોત્‍સવમાં સફાઈ અભિયાનની વાહવાહી પોકળ સાબિત થઈ

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

Leave a Comment