October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

જાગૃત ભાવિક યુવાનોએ મૂર્તિઓ એકત્ર કરીને વિધિવત નદીમાં વિસર્જીત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં હાલમાં ધુમ ધામ આસ્‍થા પૂર્વક ગણેશ મહોત્‍સવ ચાલી રહ્યો છે તે વચ્‍ચે આસ્‍થાને ઠેસ પહોંચે તેવો બનાવ વલસાડમાં બન્‍યો છે. એક બંધ મકાનમાં કોઈ ઈસમ છ જેટલી ખંડિત ગણેશ મૂર્તિઓ નાખી જતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ધોબીતળાવ વિસ્‍તારમાં આવેલ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાન પાસે કોઈ ગણેશજીની છ જેટલી પ્રતિમાઓ નાકી ગયેલ. તેની જાણ ધીરે ધીરે ચારે તરફ ફેલાઈ હતી.અહીંના સ્‍થાનિક જતેશ્વર મહાદેવ મંડળના જાગૃત યુવાનોને થઈ હતી. યુવાનો સિટી પેલેસ એપાર્ટમેન્‍ટ દોડી ગયા હતા. તમામ મુર્તિઓ સાચવીને બહાર કાઢી હતી. ત્‍યારબાદ નદી કિનારે જઈને વિધિવત આસ્‍થા પૂર્વક મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કર્યું હતું તેમજ વેપારીઓ અને જાહેર રીતે જણાવેલ કે ખંડીત મૂર્તિઓ ફેંકી પાપ ના કરવુ જોઈએ તેનો સુયોગ્‍ય નિકાલ કરવો જોઈએ. લોકોની આસ્‍થાને ઠેસ પહોંચે તેવી કામગીરી કદાપિ નહી કરવી જોઈએ.

Related posts

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

vartmanpravah

ભારત સરકારના ‘ખેલો ઈન્‍ડિયા અને ફિટ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દમણમાં ‘ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી

vartmanpravah

દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા આવી પહોંચી

vartmanpravah

Leave a Comment