October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રશાસનિક વિભાગના નિર્દેશની અવગણના કરનારી દાનહ-દમણની 102 દવાની દુકાનોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે જારી કરેલ કારણદર્શક નોટિસ

સંઘપ્રદેશને 2023 સુધી ટી.બી. મુક્‍ત બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા એલાન અંતર્ગત દવાની દુકાનો મારફત થતા ટી.બી. વિરોધી દવાના વેચાણના આંકડા આપવા નિષ્‍ફળ રહેલી દુકાનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ,તા.11 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2023ના અંત સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવને ટી.બી.(ક્ષય) મુક્‍ત બનાવવા આપેલા એલાનને સફળ બનાવવા માટે પ્રશાસનના દરેક વિભાગો જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે. જે કડીમાં પ્રદેશના ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એન્‍ટી ટી.બી. દવાના વેચાણના ડેટા નહીં પુરા પાડનારી લગભગ 102 જેટલી દવાની (કેમિસ્‍ટ) દુકાનોને તેમના રિટેઈલ સેલના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા માટે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ટી.બી. વિરોધી દવાના આંકડાથી દર્દીઓની ઓળખ માટે વિભાગને સરળતા રહેવાથી તેનો સંપર્ક કરી પ્રદેશને ટી.બી. મુક્‍ત બનાવવા પ્રશાસને શરૂ કરેલા પ્રયાસોમાં મદદરૂપ થઈ શકે છે. તેથી પ્રદેશના ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે દવાની(કેમિસ્‍ટ) દુકાનોના સંચાલકો સાથે અનેક વખત બેઠકો યોજી તેમની દુકાનમાંથી એન્‍ટી ટી.બી.ની વેચાતી ડ્રગ્‍સની માહિતીના ડેટા માંગવામાં આવ્‍યા હતા. પરંતુ પ્રદેશના ડ્રગ્‍સ વિભાગના નિર્દેશને ગંભીરતાથી નહીં લેતાં છેવટે દાદરા નગર હવેલીના લગભગ 81 અને દમણમાં 21 મળી 102 જેટલી દવાની(કેમિસ્‍ટ) દુકાનોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેનાથી સંચાલકોમાં ફફડાટ પણ ફેલાયો છે અને હવે ડેટા પહોંચાડવામાટે સક્રિય પણ બન્‍યા છે.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

ઉમરગામ પાલિકાની જમીન ઉપર ડી.આઈ.એલ.આર દ્વારા માપણી હાથ ધરાતા દબાણકરનારાઓમાં ફફડાટ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌમાતાને બચાવવા યુવા નેતા તનોજ પટેલની નવતર પહેલ

vartmanpravah

ઉમરગામના મોહનગામમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉમળકાભેર સ્‍વાગત કર્યું

vartmanpravah

Leave a Comment