Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ સહિત વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટોઃ ઝરમર વરસેલો કમોસમી વરસાદ

સેલવાસ, વાપી (ચલા), તા.22
રાજયના હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્‍ચે ઠંડો પવન ફૂંકાયો હતો અને બપોરના સમયે કયાંક અમીછાંટણા તો કયાંક વરસાદી માહોલ સર્જાવા પામ્‍યો હતો. લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.
રાજયના હવામાન વિભાગની આગાહીને લઈ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો. છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કયારેક જોરદાર પવન ફૂંકાતો હતો. ગઈકાલ રાત્રીના સમયે અચાનક જ પવન ફૂંકાવાનું ચાલુ થયું હતું. આજે સવારે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોરના સમયે અચાનક જ વાતાવરણમાં ફરી પલટો આવ્‍યો હતો જોરદાર પવન ફંૂકાવાની સાથે અમીછાંટણા થયા હતાં. અચાનક જ અમીછાંટણા થતાં થોડીક ક્ષણ માટે વરસાદી માહોલ સર્જાવાની ભીતિ સેવાઈ હતી. જો કે, ત્‍યારબાદ વાતાવરણ સ્‍વચ્‍છ થયું હતું. જો કે, વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે આંમ્રમંજરીની સાથે શાકભાજી અને રવિ પાકને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.
તોબીજી તરફ દાદરા નગર હવેલીમાં પણ વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. વાદળવાયા વાતાવરણ વચ્‍ચે પ્રદેશના કેટલાક વિસ્‍તારામાં કમોસમી વરસાદ પડયો હતો. એક તરફ શિયાળાની ઠંડી અને બીજી બાજુ કમોસમી વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતુ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે. કારણકે હાલમાં આંબાના ઝાડો પર મોર ખીલી ઉઠયા છે. જે આ કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની ભીતિ છે. સાથે સાથે શાકભાજીના પાકોને પણ નુકસાન થઇ શકે એમ છે જેથી ખેડૂતોમા ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે. તો બીજી તરફ લગ્નસીઝન પણ ચાલી રહી છે જેને લઈ લગ્નમાં વરસાદ વિધ્ન બનતો હોય જેને કારણે પરિવારોમાં પણ ચિંતા ફેલાઈ છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેને કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે.

Related posts

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

સેલવાસના નવયુવાનોની અનોખી પહેલ: અન્નદાનમ સંસ્‍થાએ સામાજીક પ્રસંગોમાં બચતા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની કરેલી પહેલ

vartmanpravah

લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે 11 લાખનું ઈનામ જાહેર કરનાર કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત વાપીમાં

vartmanpravah

Leave a Comment