September 1, 2026
Vartman Pravah
Other

સરકારી ઈજનેરી કોલેજ વલસાડમાં રાષ્‍ટ્રીય સ્‍તરનો બે દિવસીય ટેકનીકલ ફેસ્ટીવલ INFINIUM : ૨૦૨૩ ઉજવાયો

જી-20 અંતર્ગત કાર્યક્રમમાં વિવિધ સ્‍પર્ધાઓ અને પ્રદર્શનો યોજાયા

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: સરકારી ઈજનેરી કોલેજ વલસાડ ખાતે રાષ્ટ્રીય સ્તરના ટેકનીકલ ફેસ્ટીવલ INFINIUM : ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. G20 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમા ઇજનેરી વિદ્યાશાખાઓને લગતી વિવિધ સ્પર્ધાઓ/પ્રદર્શનો/પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. કાર્યક્રમ ૬ વિભાગની ૨૫ થી વધુ ઇવેન્ટ્સ દ્વારા ઈજનેરી શાખામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમાં મુખ્યત્વે ENVIRO, CONSTROZIONE, ELECTRO-VENSION, MECH-MANIA, FUNTOOZ, CHEM-O-CRAFT જેવા વિભાગોનો સમાવેશ કરાયો હતો.


કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સુરતના ભુતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ યુ. કે. જેઠવા તથા સર્ટીફાઈડ એનર્જી ઓડીટર જે. આર. વ્યાસની સાથે વિવિધ ઇન્ડસ્ટ્રીઝના અન્ય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક સંસ્થા તેમજ અન્ય ઈજનેરી સંસ્થાઓ, પોલીટેકનીક કોલેજો તેમજ અન્ય સંસ્થાઓમાં ભણતા ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. ઇવેન્ટ્સમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે બૂટ-કેમ્પનું આયોજન કરવામાં પણ કરાયું હતું.
વધુમાં શાળાના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સંસ્થા સાથે સંકળાયેલા અને સાંફ્રાન્સિસ્કો, અમેરિકાની બ્લૂ હોરાઇઝન કંપનીના ફાઉન્ડર CEO શંકર હેમાડે સાથે અભ્યાસ અને કારકિર્દી માર્ગદર્શન માટે વન-ટુ-વન ઓનલાઈન લાઈવ વાર્તાલાપ કરવાની તક મળી હતી. સંસ્થા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ આ પ્રકારના આયોજનનો મુખ્ય હેતુ ઈજનેરી ક્ષેત્રે તેમનો રસ અને રુચિ કેળવાય અને મહતમ અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ પોતાની કારકીર્દી તરીકે ઈજનેરી વિદ્યાશાખાને પસંદ કરતાં થાય તે માટે હતો. તમામ વિદ્યાર્થીઓનો અને પ્રાધ્યાપકોનો ઉત્સાહ વધારવા વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલે પણ સંસ્થામાં આયોજીત આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેઓએ દરેક વિભાગમાં મૂકવામાં આવેલ કૃતિઓને નિહાળી હતી અને વિદ્યાર્થીઓને સતત આ પ્રકારની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા કુશળ ઇજનેર બનવા શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં વલસાડના અગ્રણી શિલ્પેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનુ સમગ્ર આયોજન સંસ્થાના આચાર્ય ડો. વી. એસ. પુરાણી તેમજ તમામ વિભાગના વડાઓના માર્ગદર્શન હેઠળ ટેક્ફેસ્ટ કોર્ડિનેટર્સ પ્રોફેસર નૈનેશ પટેલ તેમજ પ્રોફેસર દેવેન્દ્ર ટંડેલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર સંઘપ્રદેશ સામુહિક યોગમુદ્રાથી શોભાયમાન બન્‍યો

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

Leave a Comment