April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

લોકસભા ચૂંટણી 2024માં ઉમેદવારોના બેંક એકાઉન્‍ટ ખોલવા બેંકના પ્રતિનિધિઓને આપવામાં આવી વિસ્‍તૃત સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી ટી. અરૂણના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશની 26 બેંકોના પ્રતિનિધિઓ સાથે એક બેઠકનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંયુક્‍ત ચૂંટણી અધિકારી શ્રી આશિષ મોહન પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી ટી. અરૂણે દરેક બેંકના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી 2024ની બાબતમાં માહિતગાર કરાયા હતા. તેમણે બેંકના દરેક પ્રતિનિધિઓને જણાવ્‍યું હતું કે, લોકસભા ચૂંટણીના ઉમેદવારોને કોઈપણ પ્રકારની પરેશાની વગર બેંક ખાતા ખોલવાની સુવિધા પ્રદાન કરવી પડશે. તેમણે જણાવ્‍યું હતું કે, કોઈપણ બેંકે ઉમેદવારનું ખાતુ ઉમેદવારના નામ ઉપર અથવા તેમના એજન્‍ટના નામ ઉપર ખોલવાનું રહેશે. ઉમેદવારના કોઈ પરિવાર કે સભ્‍યના નામ ઉપર આ ખાતુ ખોલવું નહીં. આ ખાતુ ફક્‍ત અને ફક્‍ત ચૂંટણી માટે જ રહેશે. તેમણે જણાવ્‍યું હતું કે, ફક્‍ત 10 હજાર રૂપિયા સુધીની લેણદેણ રોકડમાં કરી શકાશે, તેના ઉપરની ચુકવણી એન.આઈ.એફ.ટી./આર.ટી.જી.એસ. અથવા ચેકના માધ્‍યમથી કરાશે. કોઈપણ સંદિગ્‍ધ લેણદેણની બાબતમાં બેંકોએ કલેક્‍ટર/રિટર્નિંગ ઓફિસરને સુચના આપવી પડશે. રૂા.10 લાખથી વધુની લેણદેણની સુચના બેંકે ઈન્‍કમ ટેક્ષ, નોડલ એજન્‍સીને આપવાની રહેશે અને દરેક પાસે લોકસભા ચૂંટણીમાં સહયોગ અને ભાગીદારીની અપેક્ષા પ્રગટ કરવામાં આવી હતી.

Related posts

વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્‍બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

મોરબી પુલ હોનારતના મૃતકોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી કાયક્રમનો કરાયેલો આરંભ : સંઘપ્રદેશમાં યોજાયો રોજગાર મેળોઃ 248 ઉમેદવારોનેએનાયત કરાયા નિયુક્‍તિ પત્ર

vartmanpravah

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ સંબંધિત પ્‍લોટ કમ નિદર્શન યોજાયું

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારના કૌંચા ગામના આદિવાસી નવયુવાન શૈલેષ ગાવિતની બી.એસ.એફ.માં પસંદગી થતાં સમગ્ર ગામમાં આનંદ અને ખુશીનું વાતાવરણઃ ગામલોકોએ કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

Leave a Comment